બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 08:10 AM, 15 April 2024
દેવોમાં ભક્તોની ભક્તિથી સૌથી જલ્દી પ્રસન્ન થઈને આશીર્વાદ આપનાર દેવ મહાદેવ છે. તે માત્ર એક લોટા જળથી જ પ્રસન્ન થઈ જાય છે. તેમને મનાવવા ખૂબ જ સરળ છે. સોમવારના દિવસે મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કોઈ પણ ભક્ત શિવલિંગની પૂજા વિધિવિધાનથી કરે તો તેની દરેક મનોકામનાઓ પુરી થઈ જાય છે.
શિવલિંગ પર ઘી ચડાવવાના ફાયદા
મહાદેવના નિરાકાર રૂપ એટલે કે શિવલિંગની પૂજા કરવાના અમુક નિયમ જણાવવામાં આવ્યા છે. તે નિયમોમાંથી એક છે ભગવાન મહાદેવના શિવલિંગ પર ઘી ચડાવવું. શિવલિંગની પૂજા કરતી વખતે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે.
તેમાં દૂધ, ઘી, શાકર અને મધનો સમાવેશ થાય છે. માટે શિવલિંગ પર ઘી ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર દરરોજ ઘી ચડાવીને વ્યક્તિનું તેજ વધારી શકાય છે સાથે જ તેના જીવનમાં ઉલ્લાસ આવે છે.
માનસિક મુશ્કેલીઓથી મળે છે રાહત
શિવલિંગની પૂજા કરતી વખતે વ્યક્તિ ભક્તિમય થઈ જાય છે. મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિનું મન શાંત થાય છે. તેની સાથે જ શિવલિંગ પર ઘી ચડાવવાથી વ્યક્તિને માનસિક મુશ્કેલીઓથી રાહત મળે છે.
મંત્રોની સાથે ઘી ચડાવવાથી મળશે ડબલ ફળ
ભગવાનની પૂજા કરતી વખતે મંત્રોનો જાપ કરવો ખૂબ જ શુભ હોય છે. મંત્રોના જાપ સાથે ભગવાનને અર્પિત કરવામાં આવેલી વસ્તુ સીધી ભગવાનને ચડે છે અને તેનું ફળ ભક્તોને મળે છે. આ પ્રકારે શિવલિંગ પર મંત્રોનો જાપ કરતા ઘી ચડાવવું જોઈએ.
શિવલિંગ પર ઘી ચડાવતા ॐ नमः शिवाय, और ॐ सोमेश्वराय नमः નો જાપ કરવો જોઈએ. તેની સાથે મૃત્યુંજય મંત્રનો ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्. उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥ પણ જાપ કરવામાં આવી શકે છે.
શિવલિંગ પર આ દિવસે ચડાવો ઘી
સોમવારનો દિવસ ભગવાન મહાદેવને સમર્પિત છે. માટે આ દિવસે તમે શિવજીને પ્રસન્ન કરી તેમનો આશીર્વાદ મેળવી શકો છો તો તમે સોમવારના દિવસે આપેલા મંત્રોનો જાપ કરતા શિવલિંગ પર ઘી ચડવો. માન્યતા છે કે જો મનમાં કોઈ ઈચ્છા હોય તો તેની કામના કરતા શિવલિંગ પર ઘી ચડાવવામાં આવે તો વ્યક્તિને સુખ સમૃદ્ધિ મળે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime