બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / monday remedies for happiness and prosperity offer ghee to shivling

ધર્મ / સોમવારના દિવસે મહાદેવને અર્પિત કરો આ એક વસ્તુ, દિવસો બદલાતા વાર નહીં લાગે, મંત્રોના જાપથી પુરી થશે દરેક મનોકામના

Arohi

Last Updated: 08:10 AM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monday Remedies: હિંદૂ ધર્મમાં 22 કોટિ દેવી દેવતા છે જેમની પૂજા કરવાનું ખાસ મહત્વ હોય છે. દરેક દેવી-દેવતાઓની પૂજા કરવા માટે ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે. ભગવાનની પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

દેવોમાં ભક્તોની ભક્તિથી સૌથી જલ્દી પ્રસન્ન થઈને આશીર્વાદ આપનાર દેવ મહાદેવ છે. તે માત્ર એક લોટા જળથી જ પ્રસન્ન થઈ જાય છે. તેમને મનાવવા ખૂબ જ સરળ છે. સોમવારના દિવસે મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કોઈ પણ ભક્ત શિવલિંગની પૂજા વિધિવિધાનથી કરે તો તેની દરેક મનોકામનાઓ પુરી થઈ જાય છે. 

શિવલિંગ પર ઘી ચડાવવાના ફાયદા 
મહાદેવના નિરાકાર રૂપ એટલે કે શિવલિંગની પૂજા કરવાના અમુક નિયમ જણાવવામાં આવ્યા છે. તે નિયમોમાંથી એક છે ભગવાન મહાદેવના શિવલિંગ પર ઘી ચડાવવું. શિવલિંગની પૂજા કરતી વખતે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. 

તેમાં દૂધ, ઘી, શાકર અને મધનો સમાવેશ થાય છે. માટે શિવલિંગ પર ઘી ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર દરરોજ ઘી ચડાવીને વ્યક્તિનું તેજ વધારી શકાય છે સાથે જ તેના જીવનમાં ઉલ્લાસ આવે છે. 

માનસિક મુશ્કેલીઓથી મળે છે રાહત 
શિવલિંગની પૂજા કરતી વખતે વ્યક્તિ ભક્તિમય થઈ જાય છે. મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિનું મન શાંત થાય છે. તેની સાથે જ શિવલિંગ પર ઘી ચડાવવાથી વ્યક્તિને માનસિક મુશ્કેલીઓથી રાહત મળે છે. 

મંત્રોની સાથે ઘી ચડાવવાથી મળશે ડબલ ફળ 
ભગવાનની પૂજા કરતી વખતે મંત્રોનો જાપ કરવો ખૂબ જ શુભ હોય છે. મંત્રોના જાપ સાથે ભગવાનને અર્પિત કરવામાં આવેલી વસ્તુ સીધી ભગવાનને ચડે છે અને તેનું ફળ ભક્તોને મળે છે. આ પ્રકારે શિવલિંગ પર મંત્રોનો જાપ કરતા ઘી ચડાવવું જોઈએ. 

શિવલિંગ પર ઘી ચડાવતા ॐ नमः शिवाय, और ॐ सोमेश्वराय नमः નો જાપ કરવો જોઈએ. તેની સાથે મૃત્યુંજય મંત્રનો ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्. उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥ પણ જાપ કરવામાં આવી શકે છે. 

વધુ વાંચો: તમે ઘરમાં શંખ ​​રાખતા હોય તો આ 7 નિયમોનું જરૂરથી પાલન કરો, લક્ષ્મીજીની કૃપાથી થશે અનેક લાભ

શિવલિંગ પર આ દિવસે ચડાવો ઘી 
સોમવારનો દિવસ ભગવાન મહાદેવને સમર્પિત છે. માટે આ દિવસે તમે શિવજીને પ્રસન્ન કરી તેમનો આશીર્વાદ મેળવી શકો છો તો તમે સોમવારના દિવસે આપેલા મંત્રોનો જાપ કરતા શિવલિંગ પર ઘી ચડવો. માન્યતા છે કે જો મનમાં કોઈ ઈચ્છા હોય તો તેની કામના કરતા શિવલિંગ પર ઘી ચડાવવામાં આવે તો વ્યક્તિને સુખ સમૃદ્ધિ મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ