બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ભારત / modiji we are not your enemies says uddhav thackeray after nitish kumar joins nda again
Hiralal
Last Updated: 10:36 PM, 4 February 2024
લોકસભા ચૂંટણી પહેલા વેરવિખેર થયેલો એનડીએ મોરચો ફરી પૂર્ણ બની જાય તો નવાઈ નહીં. જેડીયુ જેવી મોટી પાર્ટી પણ એનડીએમા ફરી સામેલ થઈ છે અને હવે બીજાના ભણકારા વાગી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરે પણ એનડીએમાં આવે તેવી શક્યતા છે. ઉદ્ધવે આજે તેનો ઈશારો કરી દીધો છે. ઉદ્ધવ ઠાકરેનું મન પણ કૂણું પડ્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક મોટું નિવેદન આપ્યું છે. મોદીજી, અમે ક્યારેય તમારા દુશ્મન નહોતા અને હંમેશા તમારી સાથે હતા. ઠાકરેના આ નિવેદન બાદ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.
'Modi Ji we were never your enemy, we were always with you.
— Harshvardhan Tiwari (@poetvardhan) February 4, 2024
You drove us away'.
- Uddhav Thackeray
There are many questions on this statement and it's timing.#UddhavThackeray pic.twitter.com/nM9xYfRdG8
શું બોલ્યાં ઉદ્ધવ ઠાકરે
રેલીને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ, હું મોદીજીને કહેવા માંગુ છુ કે અમે ક્યારેય તમારા દુશ્મન નહોતા. આજે પણ નથી. અમે તમારી સાથે હતા. શિવસેના તમારી સાથે હતી, પણ તમે જાતે જ અમને દૂર કરી દીધા. અમારો હિન્દુત્વ અને ભગવો ઝંડો હજી પણ અકબંધ છે, પરંતુ આજે ભાજપ તે ભગવો ઝંડો ફાડવાનો પ્રયાસ કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે, ભાજપે જ શિવસેના સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જો કે રેલીમાં ઉદ્ધવે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી અન્ય કોઇ પણ ચૂંટણીની તુલનામાં અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે.
મોદી મહારાષ્ટ્ર આવીને ગુજરાત માટે કંઈને કંઈ લઈ જાય છે-ઠાકરે
ઠાકરેએ કહ્યું કે પીએમ મોદી જ્યારે પણ મહારાષ્ટ્ર આવે છે ત્યારે ત્યારે તેઓ અહીંથી ગુજરાત માટે કંઈને કંઈ લઈ જાય છે. વડા પ્રધાને અહીં આવીને સાંભળ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મેં જે સબમરીન ટૂરિઝમ પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો તેને ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવી રહ્યો છે.
નીતિશની પણ એનડીએમાં વાપસી
ઉલ્લેખનીય છે કે હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એનડીએમાં પરત ફર્યા છે, જે બાદ ઉદ્ધવના નિવેદનથી ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના લાંબા સમયથી એનડીએનો ભાગ છે, પરંતુ થોડા વર્ષો પહેલા ભાજપ અને શિવસેના વચ્ચે ટકરાવ થયો હતો. હવે શિવસેના (યુબીટી) વિપક્ષી ગઠબંધન ભારતનો ભાગ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પ્રધાનમંત્રીની તાજેતરની મહારાષ્ટ્રની મુલાકાતો અહીંથી ગુજરાતમાં શું લઈ જઈ શકાય તેનું નિરીક્ષણ કરવા વિશે છે.
લોકસભા ચૂંટણી પહેલા એનડીએ થઈ શકે મજબૂત
ભાજપની આગેવાનીવાળા એનડીએમાં હાલમા નાના મોટા થઈને 38 પક્ષો છે. તાજેતરમાં નીતિશ કુમાર પણ એનડીએમા સામેલ થયાં છે અને હવે ઉદ્ધવ ઠાકરે પણ પાછા આવી શકે છે. વાપસી પહેલા ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime