બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / modi cabinet reshuffle devendra fadnavis new role after maharashtra political crisis
Malay
Last Updated: 08:47 AM, 3 July 2023
મોદી કેબિનેટમાં ફેરબદલની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈકાલે NCP નેતા અજિત પવાર એક કલાકમાં જ વિપક્ષના નેતાથી નાયબ મુખ્યમંત્રી બની ગયા. રવિવારની રાજકીય ઘટનાઓ એટલી ઝડપથી બદલાતી રહી કે કોઈને તેની ખબર પણ ન પડી. બેઠક બાદ અજિત પવાર સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને પછી NCPના 9 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. જેમાં અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે ફરી એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આગામી 20 જુલાઈના રોજ ચોમાસુ સત્ર શરૂ થવાનું છે અને તે પહેલા મોદી કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે.
મોદી કેબિનેટમાં ઝડપથી ફેરબદલની ચર્ચા
ભાજપના ટોચના નેતૃત્વની અનેક રાઉન્ડની બેઠકો બાદ કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની સંભાવનાઓને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક સોમવારે પ્રગતિ મેદાન ખાતે નવા બનેલા કોન્ફરન્સ હોલમાં થવાની ધારણા છે. કેબિનેટ વિસ્તરણમાં પૂર્વ કેબિનેટ મંત્રી પ્રફુલ્લ પટેલના નામની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
દેવેન્દ્ર ફડવણવીસને કેન્દ્રમાં લાવવાની અટકળો તેજ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર તેમની પાર્ટીના ઘણા ધારાસભ્યો સાથે ભાજપ-શિવસેના સરકારમાં સામેલ થઈ ગયા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના રણનીતિકારો સાથે બંધ બારણે યોજાયેલી ઘણી બેઠકો પછી મંત્રી પરિષદમાં ફેરબદલની શક્યતાઓ મજબૂત થઈ છે. NCPના વરિષ્ઠ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને એક સંભવિત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. NCPના વડા શરદ પવારના ખૂબ નજીકના ગણાતા પટેલે તેમને છોડીને અજિત પવાર સાથે હાથ મિલાવ્યો હતો. અજિત પવાર શરદ પવારના ભત્રીજા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે અજિત પવારના શપથ ગ્રહણ સાથે જ દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્ર સરકારમાં લાવવાની અટકળો પણ તેજ થઈ ગઈ છે.
28 જૂને PM નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક
ભાજપના સૂત્રોએ સંકેત આપ્યો છે કે, જ્યારે પણ નરેન્દ્ર મોદી તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કરવાનો નિર્ણય લેશે ત્યારે સાથી પક્ષોને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવામાં આવશે. આગામી 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલાનો સમયગાળો કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલ અથવા ફેરફારની છેલ્લી તક હોઈ શકે છે. તેથી મંત્રી પરિષદમાં ફેરબદલ કે વિસ્તરણની શક્યતાઓને વધુ બળ મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કેટલાક રાજ્યો સહિત ભાજપના કેન્દ્રીય સંગઠનમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે કારણ કે પાર્ટીનું ટોચનું નેતૃત્વ 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રચારને વધુ તીવ્ર બનાવવામાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદીએ 28 જૂને અમિત શાહ અને જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh