બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મંગળવારે એર ઇન્ડિયાના AI1946 વિમાને ઉડાન ભરી. માહિતી અનુસાર, આ વિમાન દિલ્હી રાત્રે અંદાજિત 11:45 વાગ્યે પહોંચ્યું. આ વિમાનથી યૂક્રેનમાં રહેતા 242 ભારતીયોને લવાયા છે.
#WATCH यूक्रेन से करीब 242 यात्रियों को लेकर एयर इंडिया की विशेष फ्लाइट दिल्ली हवाई अड्डे पहुंची। pic.twitter.com/XktIbH91E4
— ANI_HindiNews (@AHindinews) February 22, 2022
ADVERTISEMENT
જણાવી દઇએ કે વિમાનથી ભારત પહોંચનારા લોકોને રિસીવ કરવા માટે તેમના પરિવારજનો પહેલાથી જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું યૂક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છું. ભારત પહોંચીને રાહત અનુભવી રહ્યો છું, પરિવારવાળા પણ ચિંતામાં હતા પરંતુ હવે તેઓ ખુશ છે.
ADVERTISEMENT
#WATCH यूक्रेन से करीब 242 यात्रियों को लेकर एयर इंडिया की विशेष फ्लाइट दिल्ली हवाई अड्डे पहुंची। pic.twitter.com/ndgyUx8qIy
— ANI_HindiNews (@AHindinews) February 22, 2022
ADVERTISEMENT
યૂક્રેન માટે એર ઇન્ડિયાના પહેલા વિમાને આજે સવારે 7:30 કલાકે ઉડાન ભરી હતી. તેમાં પૂરી ક્ષમતા સાથે 242 લોકોને લાવવામાં આવ્યા. એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ભારતી લોકોને યૂક્રેનથી લવાયા.
જણાવી દઇએ કે, 24 અને 26 ફેબ્રુઆરીએ પણ એર ઇન્ડિયાના વિમાન યૂક્રેનમાં ફંસાયેલા લોકોને કાઢવા માટે ઉડાન ભરશે. એર ઇન્ડિયાએ આ પહેલા યૂક્રેન માટે કોઇ ફ્લાઇટ નહોતી ચલાવી, પરંતુ સંકટમાં ઘેરાયેલા ભારતીઓને બચાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટો ત્યાં જશે અને ભારતીયોને કાઢી લાવશે.
ADVERTISEMENT
એર ઇન્ડિયા તરફથી જણાવાયું કે આગામી મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ભારતથી યૂક્રેન માટે 256 સીટોવાળી બોઇંગ 787 ડ્રીમ લાઇનર ઉડાન ભરશે. યૂક્રેનથી ભારત આવનારા નાગરિકો એર ઇન્ડિયાની બુકિંગ ઑફિસો, વેબસાઇટ્સ, કૉલ સેન્ટર અને અધિકૃત ટ્રાવેલ એજન્ટોના માધ્યમથી બુકિંગ શરૂ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.