બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Ministry of Home Affairs recommends CBI probe in the Sonali Phogat death case: Sources
Hiralal
Last Updated: 05:22 PM, 12 September 2022
ગોવાની હોટલમાં 23 ઓગસ્ટ 2022ના દિવસે હરિયાણાની મહિલા ભાજપ નેતા સોનાલી ફોગાટના થયેલા સંદિગ્ધ મોત કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગોવાના સીએમ પ્રમોદ સાવંતની સીબીઆઈ તપાસની ભલામણને સ્વીકારી લઈને સીબીઆઈને આ કેસની તપાસનો આદેશ આપ્યો છે. સોનાલીની 15 વર્ષીય પુત્રી યશોધરા ફોગાટે પણ તેની માતાની સીબીઆઈ તપાસ કરાવવાનો વારંવાર આગ્રહ સેવ્યો હતો, કેન્દ્ર સરકારે યશોધરા અને ગોવાના સીએમની માગને સ્વીકારી લઈને આ કેસ હવે સીબીઆઈને સોંપી દીધો છે.
સોનાલીની પુત્રી યશોધરાએ સીબીઆઈ તપાસની માગ કરી હતી
ઉલ્લેખનીય છે કે સોનાલી ફોગાટની એકમાત્ર 15 વર્ષીય પુત્રી યશોધરા ફોગાટે તેની માતાના મોત કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનું સરકારને વારંવાર જણાવ્યું હતું. યશોધરાનું કહેવું હતું કે સરકાર આ મામલે યોગ્ય તપાસ કરી રહી નથી અને આથી તેને માતાને ન્યાય મળવો જોઈએ.
Ministry of Home Affairs recommends CBI probe in the Sonali Phogat death case: Sources
— ANI (@ANI) September 12, 2022
(File photo) pic.twitter.com/ljImtr0462
ગોવા પોલીસ પણ કરી રહી છે સોનાલી ફોગાટ મોત કેસની તપાસ
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત મામલે CBI તપાસની ભલામણ કરી હતી.. સોનાલી ફોગાટની ગોવામાં એક રિસોર્ટમાં પાર્ટી ખતમ થયા બાદ મોત થઈ ગયું હતું. સોનાલી ફોગાટના પરિવારના લોકો સતત આ મામલે સીબીઆઈની તપાસની માગ કરી રહ્યા હતા. હરિયાણા સરકારે પણ પરિવારની માગનું સમર્થન કર્યું હતું. ગોવા સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે, સોનાલી ફોગાટ પર ગોવા પોલીસ યોગ્ય તપાસ કરી રહી છે. પોલીસને કેટલીય મહત્વની કડીઓ મળી છે. પણ સોનાલી ફોગાટના પરિવારની સોનાલાની દિકરીની ડિમાન્ડ છે કે આ મામલે સીબીઆઈ તપાસ કરે. ત્યારે આવા સમયે આજે આ કેસ સીબીઆઈને આપવાની ભલામણ કરી છે. હું ખુદ ગૃહમંત્રીને પત્ર લખીને માગ કરી રહ્યો છું કે, આ મામાલામાં સીબીઆઈ તપાસ થવી જોઈએ.
Union Home Ministry recommends CBI probe in death of BJP leader Sonali Phogat: Officials
— Press Trust of India (@PTI_News) September 12, 2022
23 ઓગસ્ટે ગોવાની હોટલમાં સોનાલી મૃત મળી આવી હતી
ગોવાના કર્લીજ રેસ્ટોરંટમાં સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ મોત થઈ ગયું હતુ. સોનાલી ફોગાટના મોત મામલે પરિવાર તરફથી સતત સીબીઆઈની તપાસની માગ થઈ રહી છે. પરિવારનો આરોપ છે કે, ગોવા પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરી રહી નથી. સોનાલી ફોગાટના ભત્રીજા વિકાસ સિંઘમારે હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે, ગોવા પોલીસ પર રાજકીય પ્રેશર છે. એટલા માટે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દેવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime