બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે થશે ખરીદી, આ તારીખ સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે
Last Updated: 09:45 PM, 27 March 2026
બાજરી, જુવાર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર છે. 1 થી 30 એપ્રિલ સુધી ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી શકાશે. ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા 1 મે થી 15 જુલાઈ સુધી ચાલશે.
ADVERTISEMENT
રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બાજરી, જુવાર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો હવે ટેકાના ભાવે પોતાની ઉપજ વેચી શકશે, જેનાથી તેમને યોગ્ય ભાવ મળશે અને આવકમાં વધારો થશે.

ADVERTISEMENT
સરકાર દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવવી જરૂરી રહેશે.
ખરીદી પ્રક્રિયા 1 મે થી 15 જુલાઈ સુધી કરવામાં આવશે. જેમાં ખેડૂતોની ઉપજ સરકાર દ્વારા સીધી ખરીદવામાં આવશે.
ADVERTISEMENT

ટેકાના ભાવ (પ્રતિ મણ)
ADVERTISEMENT
આ સાથે બાજરી અને જુવાર વેચતા ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત ₹60 પ્રતિ મણ બોનસ પણ આપવામાં આવશે. જે ખેડૂતો માટે વધુ લાભદાયક સાબિત થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મુખ્યમંત્રીનો ખેડૂતહિતમાં મોટો નિર્ણય, ગણોત કાયદા હેઠળ મુદતમાં વધારો
આ યોજના ખેડૂતોને બજારમાં થતા ભાવના ઉતાર-ચઢાવથી સુરક્ષા આપે છે અને તેમને નિશ્ચિત આવકનો વિશ્વાસ આપે છે. સરકારની આ પહેલને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર નોંધણી પૂર્ણ કરે જેથી તેઓ આ યોજનાનો સંપૂર્ણ લાભ મેળવી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.