બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / milkha singh wife nirmal milkha dies of covid milkha couldnt attend her funeral since he is hospitalis

નિધન / 'ફ્લાઈંગ સિખ' મિલ્ખા સિંહની પત્નીનું કોરોનાથી થયું નિધન, અંતિમ સંસ્કારમાં પણ ન થઈ શક્યા સામેલ

Bhushita

Last Updated: 06:56 AM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાન દોડવીર મિલ્ખા સિંહના પત્ની નિર્મલ મિલ્ખા સિંહનું કોરોનાથી નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. 'ફ્લાઈંગ સિખ' તેમના મુખાગ્નિમાં સામેલ થઈ શક્યા નહીં કારણ કે તેઓ હજુ પણ આઈસીયૂમાં છે.

  • મિલ્ખા સિંહના પત્ની નિર્મલ મિલ્ખા સિંહનું કોરોનાથી નિધન
  • મિલ્ખા સિંહ હજુ પણ આઈસીયૂમાં એડમિટ
  • પત્નીના મુખાગ્નિમાં સામેલ થઈ શક્યા નહીં

મહાન દોડવીર મિલ્ખા સિંહની પત્નીનું કોરોનાથી નિધન થયું છે. નિર્મલ મિલ્ખા સિંહ 85 વર્ષની ઉંમરના હતા. પંજાબ સરકારમાં રમત નિર્દેશક (મહિલા)  અને ભારતીય મહિલા રાષ્ટ્રીય વોલીબોલ ટીમની પૂર્વ કપ્તાન પણ હતી. પતિ મિલ્ખા સિંહ હોસ્પિટલમાં એડમિટ હોવાના કારણે તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહીં. 

પરિવારે કહી આ વાત

નિર્મલ મિલ્ખા સિંહના નિધનની જાણકારી આપતા પરિવારે કહ્યું કે અમને જણાવતા ખૂબ દૂઃખ થાય છે કે નિર્મલ મિલ્ખા સિહનું સાંજે 4 વાગે કોરોનાના કારણે નિધન થયું છે.  પરિવારે કહ્યું કે પંજાબ સરકારમાં રમત નિર્દેશક (મહિલા)  અને ભારતીય મહિલા રાષ્ટ્રીય વોલીબોલ ટીમની પૂર્વ કપ્તાન પણ હતી. નિર્મલે કોરોનાની લડાઈ બહાદુરી સાથે લડી પણ જીતી શકી નહી. તે મિલ્ખા પરિવારનો ખાસ ભાગ રહી હતી. 

મિલ્ખા સિંહ પત્નીના મુખાગ્નિમાં સામેલ થઈ શક્યા નહીં
કહેવામાં આવ્યું છે કે એ વાતનો અફસોસ છે કે પતિ મિલ્ખા સિંહ આજે સાંજે કરાયેલા દાહ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નથી કેમકે તેઓ હજુ પણ આઈસીયૂમાં છે. પરિવારે લડાઈ સમયે એકતા અને પ્રાર્થના માટે દરેકનો આભાર માન્યો છે. જેણે બહાદુરીથી તેનો સામનો કરવાની તાકાત આપી છે. 

જાણો નિર્મલ મિલ્ખા સિંહ વિશે
નિર્મલ મિલ્ખાનો જન્મ 8 ઓક્ટોબર 1938માં પાકિસ્તાનના શેખપુરામાં થયો હતો. આ ઉપરાંત તે  3 અલગ અલગ અવસરોએ પંજાબ વોલીબોલ ટીમની કપ્તાન હતી. 1955માં તેઓ ભારત વોલીબોલ ટીમના ભાગના રૂપમાં શ્રીલંકા ગઈ હતી. અહીં તેમની મુલાકાત મિલ્ખા સિંહ સાથે થઈ, બંનેએ 1962માં લગ્ન કર્યા, પરિવારમાં દીકરો જીવ મિલ્ખા અને એક દીકરી છે. દીકરી મોના મિલ્ખા સિંહ ન્યૂયોર્કના મેટ્રોપોલિટન હોસ્પિટલ સેન્ટરમાં ડોક્ટર છે. 

કોરોનાની લડી લડી રહેલા મહાન દોડવીર મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢના પીજીઆઈએમઈઆર હોસ્પટલમાં ચાલી રહી છે. હાલમાં જ પીજીઆઈ ચંડીગઢે મિલ્ખા સિંહનો એક ફોટો જાહેર કર્યો હતો જેમાં તે આઈસીયૂમાં એડમિટ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ