બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન રાજને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં કોરોના વાયરસ મહામારીના આવ્યા પહેલાથી મંદી છવાયેલી હતી. વિકાસ દર સતત ઘટતો જઇ રહ્યો હતો. એવામાં અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા ઘણું કરવાનું બાકી છે. 20 લાખ કરોડ રૂપિયાના પેકેજને લઇને તેઓએ કહ્યું કે તેમા ઘણી સારી જાહેરાત પણ છે, પરંતુ જરૂરિયાત તેના કરતા વધારે છે.

ADVERTISEMENT
ઇકોનોમીમાં અલગ-અલગ જરૂરિયાત
તેઓએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને કેટલીક જગ્યાએ રીપેર કરવાની જરૂર છે. આ કામ દરેક સેક્ટરમાં જેમકે, કેટલીક બેન્ક, મોટી કંપનીઓ, એમએસએમઇમાં જરૂરી છે. કેટલીક જગ્યાઓ પર રિકવરી કરવાની જરૂર છે, જ્યાં સ્ટિમ્યૂલસ પેકેજ કામ આવશે અને આ ઉપરાંત કેટલીક જગ્યાઓ પર પૂર્ણ સુધારણાની જરૂર છે.
ADVERTISEMENT
પ્રવાસી મજૂરોને કેશની જરૂર
આત્મનિર્ભર ભારત પેકેજની ખામીઓને લઇને રઘુરામ રાજને કહ્યું કે તેમા ઇકોનોમીમાં રિકવરીને લઇને મોટી જાહેરાત કરાઇ નથી. તેમા પ્રવાસી મજૂરોની જરૂરિયાતો અને સમસ્યાઓને પણ સાચી રીતે ડીલ કરવામાં આવી નથી. તેમને મફત અનાજની સાથે-સાથે પૈસાની પણ જરૂર છે, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
.jpg)
સ્ટિમ્યુલસ પેકેજમાં સરકારની તરફથી જનધન ખાતાધારકોને દર મહીને 500-500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાતં 5 કિલો અનાજ અને 1 કિલો દાળ પણ મળી રહી છે. પ્રવાસી શ્રમિકોને મફત અનાજની સાથે-સાથે રોકડની પણ જરૂર છે જેથી તેઓ પોતાની અન્ય જરૂરિયાતો પૂર્ણ કરી શકે.
ADVERTISEMENT
વિપક્ષની મદદ લેવી જોઇએ
રઘુરામ રાજને કહ્યું કે સંકટના આ સમયે સરકારે વિપક્ષની મદદ લેવી જોઇએ. તેમની ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થવો જોઇએ. આ કામ માત્ર વડાપ્રધાન કાર્યાલય ન કરી શકે. દેશમાં આવા ટેલેન્ટની કોઇ અછત નથી, જે આ સંકટના સમયે સરકારની પૂર્ણ મદદ કરે અને તેનો ફાયદો પણ મળતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.