બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત પર ભરઉનાળે માવઠાની ઘાત, 19થી 21 એપ્રિલ દરમિયાન વરસાદની આગાહી
Last Updated: 09:35 PM, 17 April 2026
ગુજરાતમાં ભરઉનાળાની વચ્ચે હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં 19 થી 21 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી જાહેર કરી છે, જેના કારણે ગરમીમાંથી રાહત મળશે પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બની શકે છે.
ADVERTISEMENT

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા વાતાવરણમાં અસ્થિરતા સર્જાઈ છે. તેના પરિણામે વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ADVERTISEMENT
ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વધુ છે. ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
મહીસાગર, દાહોદ, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદની શક્યતા છે.
આ અચાનક માવઠું ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને પાક કાપણીના સમયે આવી પરિસ્થિતિ નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજી તરફ, સામાન્ય જનતાને તાપમાનમાં ઘટાડાને કારણે ગરમીમાંથી થોડી રાહત મળશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટમાં ભાજપ ઉમેદવારોની નરેશ પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક
હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા સૂચના આપી છે, ખાસ કરીને વીજળી પડવાની શક્યતા વચ્ચે ખુલ્લા મેદાનોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.