બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
VTV / ભારત / વિશ્વ / આખરે માલદીવે ભૂલ સ્વીકારી! PM મોદીની આલોચના પર વિદેશ મંત્રીએ કહ્યું 'આવું બીજી વાર...'
Last Updated: 04:56 PM, 10 May 2024
PM નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ ભારત વિરોધી ટિપ્પણી કરનાર માલદીવ હવે ઘૂંટણિયે પડી ગયું છે. માલદીવના વિદેશ પ્રધાન મૂસા ઝમીર ગુરુવારે દિલ્હીમાં એસ જયશંકરને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદીની ટીકા અને ભારત સાથેના સંબંધો બગડવાની વાત પણ કરી હતી. મુસા ઝમીરે સ્પષ્ટ કહ્યું હતું કે માલદીવથી આવી ભૂલ ફરી નહીં થાય. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પણ ભારત આવશે. મુસા ઝમીરનું આ વલણ એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે. એટલું જ નહીં માલદીવ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. માલદીવના વિદેશ મંત્રી મૂસા ઝમીર હાલમાં ભારતની મુલાકાતે આવ્યા છે. જેને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. આ મુલાકાત દરમિયાન તેઓ દ્વિપક્ષીય બાબતો પર વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. આ દરમિયાન તેમણે માલદીવના ત્રણ મંત્રીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી અંગે પણ સ્પષ્ટતા આપી હતી.
ADVERTISEMENT
#WATCH | Delhi: On derogatory remarks against India, Foreign Minister of Maldives, Moosa Zameer says, "If you have seen as you said, we have said that it's not the stand of the government or we believe that it shouldn't have been done. We are taking proper action to make sure… pic.twitter.com/JRAKhNkHk2
— ANI (@ANI) May 9, 2024
ADVERTISEMENT
માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓને લઈને કહ્યું કે તમે જોયું જ હશે કે અમે કહ્યું હતું કે આ સરકારનું સ્ટેન્ડ નથી અને અમે માનીએ છીએ કે આવું ન થવું જોઈએ. આ અંગે સોશિયલ મીડિયા પર ગેરસમજ ફેલાવવામાં આવી હતી. માલદીવ અને ભારતની સરકારો સમજે છે કે શું થયું અને અમે હવે તેનાથી આગળ વધી ગયા છીએ. મુસા ઝમીરે કહ્યું કે અમારી સરકાર એ સુનિશ્ચિત કરશે કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી ન થાય. તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે બાદ બંને દેશોના સંબંધોમાં તિરાડ પડી હતી. જો કે માલદીવ સરકારે આ ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. અગાઉ માલદીવના પ્રવાસન મંત્રીએ ભારતીય પ્રવાસીઓને વધુમાં વધુ સંખ્યામાં માલદીવની મુલાકાત લેવા જણાવ્યું હતું.
વધુ વાંચો : 'પાકિસ્તાનને ઈજ્જત આપવી જોઈએ...' પિત્રોડા બાદ હવે મણિશંકર અય્યરનું વિવાદિત નિવેદન
માલદીવના પર્યટન મંત્રી ઈબ્રાહિમ ફૈસલે તાજેતરમાં કહ્યું હતું કે અમારી સરકાર ભારત સાથે મળીને કામ કરવા માંગે છે. અમારા લોકો અને અમારી સરકાર માલદીવમાં આવનારા ભારતીયોનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. પ્રવાસન મંત્રી તરીકે હું ભારતીયોને કહેવા માંગુ છું કે તમારે વધુમાં વધુ સંખ્યામાં માલદીવ આવવું જોઈએ. આપણું અર્થતંત્ર વાસ્તવમાં પ્રવાસન પર આધારિત છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં માલદીવ જનારા ભારતીયોની સંખ્યામાં 42 ટકાનો ઘટાડો થયો છે. માલદીવ ભારતીય પ્રવાસીઓ માટે ખૂબ જ પ્રિય સ્થળ હતું. પરંતુ બંને દેશો વચ્ચે તણાવ વધ્યા બાદ માલદીવ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પર્યટન મંત્રાલયના ડેટા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે 42,638 ભારતીય પ્રવાસીઓ માલદીવની મુલાકાતે આવ્યા હતા. જ્યારે ગયા વર્ષે આ જ ચાર મહિનામાં 73,785 ભારતીય પ્રવાસીઓ માલદીવ પહોંચ્યા હતા.
વધુ વાંચો
દુર્ઘટના કે ષડયંત્ર / VIDEO: કેવી રીતે ક્રેશ થયું ઈરાની રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર! શું ગુપ્તચર મોસાદનો હાથ છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT