બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:02 PM, 6 August 2023
#Pakistan#पाकिस्तान : #रावलपिंडी जा रही #हज़ारा_एक्सप्रेस हादसे की शिकार#ट्रेन_हादसे के बाद ट्रेन की खिड़कियों के ज़रिये निकलने की कोशिश करते #मुसाफ़िर।
इस हादसे में अब तक 15 लोगों की #मौत, 50 से अधिक लोग #घायल #PakistanTrainAccident @GovtofPakistan pic.twitter.com/z21T3yD35W
ADVERTISEMENT
— Goldy Srivastav (@GoldySrivastav) August 6, 2023
ADVERTISEMENT
પાકિસ્તાનમાં આજે રવિવારે હચમચાવી નાખે તેવો ટ્રેન અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રાવલપિંડી જતી બાલી હજારા એક્સપ્રેસ પાટા નીચે ઉતરી જતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલ સહારા રેલ્વે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
50 લોકોને ગંભીર ઇજા પહોંચી
રિપોર્ટ અનુસાર આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ 15 લોકોને કાળ આંબી ગયો છે, જ્યારે 50 લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરો હોવાની બનાવ નજીક રોકકળાટથી કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં સારવાર
ADVERTISEMENT
અકસ્માતના પગલે રેસ્ક્યુ પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલ ઘવાયેલા લોકોને સારવાર અર્થે નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ટ્રેનમા વધુ મુસાફરો સવાર હોવાથી મોત અને ઘાયલ લોકોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.વધુમાં ટ્રેન ક્યાં કારણોસર પાટા પરથી ઉતરી ગઇ તે મામલે પણ હજુ સુધી સ્પષ્ટ કારણ સામે ન આવ્યું હોવાનું અધિકારીએ કહ્યું છે.
અકસ્માત બાદ ઘટના સ્થળે દોડી ગયેલા અધિકારીઓ ટ્રેનના કેટલા ડબ્બા ઉતરી ગયા તે મામલે વિગત અંગે અમૂક અધિકારીએ 5 તો અમૂક અધિકારીએ 8 અને અમુક અધિકારીએ 10 ડબ્બા મામલે પુષ્ટિ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.