બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Hiralal
Last Updated: 09:49 PM, 19 March 2024
દેશના અન્ય ઠેકાણાની જેમ મથુરામાં પણ શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહનો વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. એક બાજુ હિંદુઓનો દાવો છે આ મંદિર છે જેને તોડીને મસ્જિદ બનાવાઈ હતી તો મુસ્લિમો તેને મૂળ ઈદગાહ મસ્જિદ માની રહ્યાં છે. દાવા-પ્રતિદાવાની વચ્ચે આ આખો વિવાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આજે આવેલા લેટેસ્ટ ચુકાદામાં વિવાદ સંબંધિત 5 કેસને એકસાથે જોડીને સુનાવણીના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી મસ્જિદ સમિતિની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ત્યારે આ વિવાદના ઈતિહાસ પર નજર નાખવી જરુરી છે.
એએસઆઈએ શું માહિતી જાહેર કરી
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ માહિતી અધિકાર અરજીનો જવાબ આપતા એવી વિગતો જાહેર કરી છે કે મુઘલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા કેશવદેવ મંદિરને તોડીને શાહી ઈદગાહ બનાવાઈ હતી. કેશવદેવ મંદિર કૃષ્ણ જન્મભૂમિ મંદિર સંકુલનો એક ભાગ હતું. કટરા ટેકરાના ભાગો જે નઝુલ ભાડૂતોના કબજામાં નથી, જેના પર અગાઉ કેશવદેવનું મંદિર હતું, જેને તોડી પાડવામાં આવ્યું હતું અને આ સ્થળનો ઉપયોગ ઔરંગઝેબની મસ્જિદ માટે કરવામાં આવ્યો હતો.
ઔરંગઝેબે 1670 મંદિરને તોડી પાડવા માટે એક ફરમાન બહાર પાડ્યું હતું
હાલમાં ચાલી રહેલા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદમાં આ તારણ નિર્ણાયક સાબિત થઇ શકે છે અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના પ્રમુખ મહેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું હતું કે તેઓ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ કેસની દલીલ કરતી વખતે આરટીઆઇના જવાબનો ઉપયોગ કરશે. ઐતિહાસિક પુરાવાના આધારે, અમે અમારી અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે ઔરંગઝેબે 1670 મંદિરને તોડી પાડવા માટે એક ફરમાન બહાર પાડ્યું હતું. તેના પગલે ત્યાં શાહી ઈદગાહ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
કૃષ્ણા જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ હિન્દુ જૂથોના દાવાની આસપાસ ફરે છે, જેઓ દલીલ કરે છે કે મસ્જિદનું નિર્માણ મુઘલ સમ્રાટ ઔરંગઝેબે 1670માં હાલના મંદિરને તોડી પાડ્યા બાદ કર્યું હતું. તેમનો દાવો છે કે આ સ્થળ મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime