બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / major accident on Samriddhi Highway in Maharashtra; 12 dead, 23 in serious condition
Megha
Last Updated: 11:22 AM, 15 October 2023
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રવિવારે સવારે હાઇ સ્પીડમાં મુસાફરી કરી રહેલી એક મિની બસ કન્ટેનર સાથે અથડાતાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ખાનગી બસમાં 35 મુસાફરો હતા.
मुंबई-नागपूर #SamruddhiExpressway वर झालेल्या भीषण अपघातात 12 लोक मृत्युमुखी आणि 23 जण गंभीर जखमी झाल्याची घटना दु:खद आहे. मी मृतांना श्रद्धांजली अर्पण करतो आणि जखमींना लवकर आराम मिळावा, अशी प्रार्थना करतो. मृतकांच्या कुटुंबीयांना सरकारने सर्वोतोपरी मदत करावी, अशी माझी मागणी आहे. pic.twitter.com/kq8hkI8OdD
— Rais Shaikh (@rais_shk) October 15, 2023
બસમાં મુસાફરી કરી રહેલા 12 શ્રદ્ધાળુઓના મોત થયા
બુલઢાણા જિલ્લામાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવે પર ભક્તોથી ભરેલી બસ રસ્તા પર ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 12 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે નાશિકના ભક્તો બસમાં પ્રવાસી બાબાની દરગાહ ગયા હતા. દર્શન કર્યા બાદ બધા નાસિક પરત ફરી રહ્યા હતા. દરમિયાન, વૈજાપુર નજીક સમૃદ્ધિ હાઇવે પર જામબરગાંવ ટોલ બૂથ પાસે શ્રદ્ધાળુઓને લઇ જતી બસ અકસ્માતનો ભોગ બની હતી. ઘાયલોના જણાવ્યા મુજબ બસની સ્પીડ ઝડપી હતી. રોડ પર પહેલાથી જ ઉભેલા કન્ટેનરને જોયા બાદ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, ત્યારબાદ બસ કન્ટેનર સાથે અથડાઈ હતી.
બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના મુંબઈથી લગભગ 350 કિલોમીટર દૂર જિલ્લાના એક્સપ્રેસ વેના વૈજાપુર વિસ્તારમાં સવારે 12.30 વાગ્યે થઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે બસ પાછળથી કન્ટેનર સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં 12 મુસાફરોના મોત થયા છે. મૃતકોમાં પાંચ પુરૂષ, છ મહિલાઓ અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે 23 અન્ય મુસાફરો ઘાયલ થયા છે અને તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
VIDEO | 12 killed, several injured after a mini-bus collided with a container on Samruddhi Expressway in Maharashtra earlier today.
— Press Trust of India (@PTI_News) October 15, 2023
READ: https://t.co/GyfRcuqQpL
(Source: Third Party) pic.twitter.com/GUQUCeT0mQ
એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન ડિસેમ્બર 2022માં થયું હતું
પીએમ મોદીએ ડિસેમ્બર 2022માં મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. ડિસેમ્બર 2022 થી અત્યાર સુધીમાં આ એક્સપ્રેસ વે પર 800 થી વધુ અકસ્માતો થયા છે. જણાવી દઈએ કે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેનું પૂરું નામ 'હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે' મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ છે. આ એક્સપ્રેસ વે રાજ્યના 10 જિલ્લા નાગપુર, વાશિમ, વર્ધા, અહેમદનગર, બુલઢાણા, ઔરંગાબાદ, અમરાવતી, જાલના, નાસિક અને થાણેમાંથી પસાર થાય છે.
સમૃદ્ધિ એક્સપ્રેસ વેના બે તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ત્રીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. બીજા તબક્કાનું ઉદ્ઘાટન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. ત્રીજા તબક્કાનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime