બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / Mahatma Gandhi, who influenced millions of people of the country and the world, has also been influenced by PM Modi
Dinesh
Last Updated: 08:34 AM, 2 October 2023
આ વર્ષે આપણે મહાત્મા ગાંધીની 154મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં "સ્વચ્છ ભારત દિવસ" તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. દેશ અને દુનિયામાં મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત બનનાર લોકોની ખોટ નથી. આજે લાખો-કરોડો લોકો બાપુના વિચારોથી પ્રેરિત છે. પીએમ મોદી પણ બાપુના વિચારોથી પ્રભાવિત અને પ્રરિત છે. જે તેમની પર્શનલ ડાયરીના કેટલાક બહાર આવેલા પાનાઓ પરથી જાણવા મળે છે
"The only real, dignified, human doctrine is the greatest good of all"
— Modi Archive (@modiarchive) October 2, 2022
A quote by #MahatmaGandhi penned by a young Modi, the public welfare schemes of whom continue to echo the Mahatma's idea - Sabka Saath, Sabka Vikas.
[Handwritten, Personal Diary, Quote from Mahatma Gandhi] pic.twitter.com/kiQyWzt1Jy
પીએમ મોદીની પર્શનલ ડાયરીના પાનામાંથી શુ જાણવા મળ્યું
પીએમ મોદીની પર્શનલ ડાયરીના કેટલાક પાના બહાર આવ્યાં હતા જેની પરથી ખબર પડે છે કે પીએમ તો છેક બાળપણથી બાપુના વિચારોને આત્મસાત કરી રહેલા જણાતા હતા.
અંગત ડાયરીમાં બાપુના વિચારો
પર્સનલ ડાયરીમાં પીએમ મોદીએ ગાંધીનો વિચાર પોતાના હસ્તાક્ષરમાં લખ્યો હતો. મહાત્મા ગાંધી માનતા હતા કે વિકાસનું લક્ષ્ય માનવીને સુખી કરવાનું હોવું જોઈએ. તેઓ સમૃદ્ધિની આવી આધુનિક વિચારસરણીમાં માનતા ન હતા, જેમાં ભૌતિક વિકાસને પ્રગતિનો મૂળભૂત માપદંડ માનવામાં આવે છે. તેઓ બહુજન સુખાય-બહુજન હિતાય અને સર્વોદય એટલે કે સર્વોદયના સિદ્ધાંતોમાં માનતા હતા.
સરકારી યોજનામાં ગાંધીજીના સર્વોદયના સિદ્ધાંતોની છાપ
પીએમ મોદીએ સરકારી યોજનાઓમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ'નો સિદ્ધાંત અમલમાં મૂક્યો ત્યારે તેમાં ગાંધીજીના બહુજન સુખાય-બહુજન હિતાય અને સર્વોદયના સિદ્ધાંતોની છાપ હતી.
On #GandhiJayanti, here's the video that defined Modi's public policy journey - the philosophy of Jan Bhagidari.#MahatmaGandhi united people in their desire for freedom, through Jan Bhagidari. Modi calls for a similar movement for development.
— Modi Archive (@modiarchive) October 2, 2022
[Hindustan Times conclave, 2007} pic.twitter.com/qlSf091643
પહેલી વાર સીએમ બનતા પહેલા ગાંધીજીની તસવીરને વંદન કર્યાં
નરેન્દ્ર મોદીનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. મહેનત અને લગનથી તેમણે રાજનીતિ અને સેવાના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. 2001માં તેઓ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. શપથવિધિ માટે તેઓ સચિવાલય જવાના હતા. પીએમ મોદી તૈયાર થઈને મહાત્મા ગાંધીની તસવીર પાસે ઉભા રહી ગયા. તેઓ પહેલીવાર કોઈ રાજ્યનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને વંદન કર્યાં હતા અને ત્યાર બાદ શપથ માટે ગયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh