બ્રેકિંગ ન્યુઝ
ભગવાન શિવની મહિમા અપાર છે. પુરાણો અનુસાર જે શિવ ભક્ત મંદિરમાં દર્શન કરે છે ભોલેનાથ તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે. ભોલેનાથની પૂજા માટે મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના શહેર કે ભારતના અલગ અલગ શિવ મંદિરોના દર્શન કરવા પહોંચે છે. આમ તો ભારતના દરેક શિવ મંદિર અનોખા છે.
ADVERTISEMENT

પરંતુ આજે અમે તમને ભારતના એક એવા શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં દરેક વ્યક્તિ જવા માંગે છે. આ મંદિરની અનોખી વાત એ છે કે તેમાં એક કે બે નહીં પરંતુ વિવિધ પ્રકારના 1 કરોડ શિવલિંગ છે. તો આવો જાણીએ ભારતના આ અનોખા શિવ મંદિર વિશે.
ADVERTISEMENT
કોટિલિંગેશ્વરમાં 1 કરોડ શિવલિંગ
બેંગ્લોરથી લગભગ 100 કિમી દૂર કર્ણાટકના કોલાર જિલ્લાના કમ્માસંદ્રા ગામમાં ભગવાન શિવનું પ્રતિષ્ઠિત મંદિર છે. તેને કોટિલિંગેશ્વર નામથી ઓળખવામાં આવે છે. મંદિરની ખાસિયત છે કે અહીં વિવિધ આકારોના લગભગ 1 કરોડ શિવલિંગ છે. કન્નડમાં કોટિલિંગેશ્વરનો મતલબ કરોડ હોય છે. લિંગોનો આકાર 1 ફૂટથી લઈને 3 ફૂટ સુધી હોય છે. આ લિંગ 15 એકડ ભૂમિમાં ફેલાયેલું છે અને જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.

ADVERTISEMENT
એશિયાનું સૌથી મોટુ શિવલિંગ અહીં
કોટિલિંગેશ્વર મંદિરનું નિર્માણ વર્ષ 1980માં સ્વામી સાંભા શિવ મૂર્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં સ્થાપિત શિવલિંગ 33 મીટર લાંબા છે દુનિયામાં સૌથી ઉંચુ છે. મંદિરમાં નંદીની 35 ફૂટ ઉંચી મૂર્તિ પણ છે. 1 કરોડ શિવલિંગ વાળા આ મંદિરમાં દર વર્ષે નિઃશુલ્ક સામૂહિક વિવાહ પણ કરાવવામાં આવે છે.
પર્યટન સ્થળોની લિસ્ટમાં શામેલ છે આ મંદિર
સરકારે આ મંદિરને એક પર્યટન સ્થળ જાહેર કર્યું છે. જેથી દુનિયાભરથી હજારે પર્યટક આવી શકે અને એશિયાના સૌથી મોટા લિંગના દર્શન કરી શકે. નાગલિંગા અને કેનન બોલ નામના બે ફૂલોના ઝાડ અહીં સ્થિત છે. ઘણી અવિવાહિત મહિલાઓ અહીં સુખી વૈવાહિક જીવનની પ્રાર્થના કરે છે.
ADVERTISEMENT

કોટિલિંગેશ્વર મંદિરમાં પૂજા
બધા સ્થાપિત શિવલિંગો પર રોજ પુજારી પૂજા-અર્ચના કરે છે. પૂજા સંગીત અને ઢોલની સાથે કરવામાં આવે છે. બધા પૂજારી મંત્ર વાંચે છે અને સાથે જ લિંગો પર પાણી પણ નાખે છે. આટલું જ નહીં ભક્ત પોતાના શિવલિંગ સ્થાપિત કરીને ખાસ પૂજા પણ કરી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : મહાશિવરાત્રી પર આજે ધનની આવક વધારશે આ ઉપાય, પરંતુ ખાસ ધ્યાનમાં રાખજો આટલી વાતો
સ્થાપિત કરી શકો છો શિવલિંગ
આ મંદિરની સારી વાત એ છે કે અહીં તમે પોતાનું શિવલિંગ સ્થાપિત કરી શકો છો. જે લોકોને વિશ્વાસ હોય છે કે સ્થાપનાથી તેમની ઈચ્છા પુરી થશે તે લોકો અહીં શિવલિંગ મુકે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.