બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Arohi
Last Updated: 11:36 AM, 8 March 2024
ભગવાન શિવની મહિમા અપાર છે. પુરાણો અનુસાર જે શિવ ભક્ત મંદિરમાં દર્શન કરે છે ભોલેનાથ તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે. ભોલેનાથની પૂજા માટે મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના શહેર કે ભારતના અલગ અલગ શિવ મંદિરોના દર્શન કરવા પહોંચે છે. આમ તો ભારતના દરેક શિવ મંદિર અનોખા છે.
પરંતુ આજે અમે તમને ભારતના એક એવા શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં દરેક વ્યક્તિ જવા માંગે છે. આ મંદિરની અનોખી વાત એ છે કે તેમાં એક કે બે નહીં પરંતુ વિવિધ પ્રકારના 1 કરોડ શિવલિંગ છે. તો આવો જાણીએ ભારતના આ અનોખા શિવ મંદિર વિશે.
કોટિલિંગેશ્વરમાં 1 કરોડ શિવલિંગ
બેંગ્લોરથી લગભગ 100 કિમી દૂર કર્ણાટકના કોલાર જિલ્લાના કમ્માસંદ્રા ગામમાં ભગવાન શિવનું પ્રતિષ્ઠિત મંદિર છે. તેને કોટિલિંગેશ્વર નામથી ઓળખવામાં આવે છે. મંદિરની ખાસિયત છે કે અહીં વિવિધ આકારોના લગભગ 1 કરોડ શિવલિંગ છે. કન્નડમાં કોટિલિંગેશ્વરનો મતલબ કરોડ હોય છે. લિંગોનો આકાર 1 ફૂટથી લઈને 3 ફૂટ સુધી હોય છે. આ લિંગ 15 એકડ ભૂમિમાં ફેલાયેલું છે અને જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.
એશિયાનું સૌથી મોટુ શિવલિંગ અહીં
કોટિલિંગેશ્વર મંદિરનું નિર્માણ વર્ષ 1980માં સ્વામી સાંભા શિવ મૂર્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં સ્થાપિત શિવલિંગ 33 મીટર લાંબા છે દુનિયામાં સૌથી ઉંચુ છે. મંદિરમાં નંદીની 35 ફૂટ ઉંચી મૂર્તિ પણ છે. 1 કરોડ શિવલિંગ વાળા આ મંદિરમાં દર વર્ષે નિઃશુલ્ક સામૂહિક વિવાહ પણ કરાવવામાં આવે છે.
પર્યટન સ્થળોની લિસ્ટમાં શામેલ છે આ મંદિર
સરકારે આ મંદિરને એક પર્યટન સ્થળ જાહેર કર્યું છે. જેથી દુનિયાભરથી હજારે પર્યટક આવી શકે અને એશિયાના સૌથી મોટા લિંગના દર્શન કરી શકે. નાગલિંગા અને કેનન બોલ નામના બે ફૂલોના ઝાડ અહીં સ્થિત છે. ઘણી અવિવાહિત મહિલાઓ અહીં સુખી વૈવાહિક જીવનની પ્રાર્થના કરે છે.
કોટિલિંગેશ્વર મંદિરમાં પૂજા
બધા સ્થાપિત શિવલિંગો પર રોજ પુજારી પૂજા-અર્ચના કરે છે. પૂજા સંગીત અને ઢોલની સાથે કરવામાં આવે છે. બધા પૂજારી મંત્ર વાંચે છે અને સાથે જ લિંગો પર પાણી પણ નાખે છે. આટલું જ નહીં ભક્ત પોતાના શિવલિંગ સ્થાપિત કરીને ખાસ પૂજા પણ કરી શકે છે.
વધુ વાંચો : મહાશિવરાત્રી પર આજે ધનની આવક વધારશે આ ઉપાય, પરંતુ ખાસ ધ્યાનમાં રાખજો આટલી વાતો
સ્થાપિત કરી શકો છો શિવલિંગ
આ મંદિરની સારી વાત એ છે કે અહીં તમે પોતાનું શિવલિંગ સ્થાપિત કરી શકો છો. જે લોકોને વિશ્વાસ હોય છે કે સ્થાપનાથી તેમની ઈચ્છા પુરી થશે તે લોકો અહીં શિવલિંગ મુકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો