બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / Politics / સ્ટ્રાઇક રેટ 64 %, બેઠક 1425, જુઓ ભાજપ સામે કઇ રીતે પરાસ્ત થયું મહાવિકાસ અઘાડી?
Last Updated: 04:47 PM, 18 January 2026
Maharashtra Politics News: મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીના પરિણામોએ રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કુલ 2,869 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપે 64.51 ટકાના સ્ટ્રાઇક રેટ સાથે 1,425 બેઠકો જીતી હતી. તેવી જ રીતે ભાજપે બીએમસીમાં સૌથી વધુ 89 બેઠકો જીતી. તેનાથી વિપરીત કોંગ્રેસ અને અવિભાજિત શિવસેનાના પ્રદર્શનમાં ઘટાડો થયો હતો. જોકે AIMIM ના પ્રદર્શને પણ બધાને ચોકાવ્યા છે.
ADVERTISEMENT

તેવી જ રીતે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા, જ્યાં ભાજપે 135 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 66 ટકાના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે સૌથી વધુ 89 બેઠકો જીતી હતી. અહીં, ભાજપે 45.39 ટકા મત મળ્યા છે. જ્યારે તેના સાથી શિવસેના (શિંદે જૂથ) એ 90 માંથી 29 બેઠકો જીતી છે.
ADVERTISEMENT
UBT એ 65 બેઠકો જીતી
શિવસેના (UBT) 40.62 ટકાના સ્ટ્રાઇક રેટ સાથે બીજા ક્રમે રહી. BMC ચૂંટણીમાં યૂટીબીએ સૌથી વધુ 160 બેઠકો પર ચૂંટણી લડી અને 27.37 ટકાના વોટ શેર સાથે 65 બેઠકો જીતી. કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, માત્ર 15.89 ટકાના સ્ટ્રાઇક રેટને સ્પર્શી શકી. શરદ પવારની એનસીપી અને રાજ ઠાકરેની એમએનએસ પણ મતદારોને પોતાના પક્ષમાં કરવામાં નાકામ રહી અને 1 ટકા કરતા ઓછા સ્ટ્રાઇક રેટ સાથે કેટલીક બેઠકોમાં સમેટાઇ ગઇ.
ADVERTISEMENT

2017 ની સરખામણીમાં ભાજપની લીડમાં વધારો
ADVERTISEMENT
ચૂંટણીના આંકડા અનુસાર 2017 ની સરખામણીમાં ભાજપે માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં મોટી બઢત મેળવી છે. ભાજપની બેઠકોની સંખ્યા 2017 માં 1,125 હતી જે વધીને હવે 1,425 થઈ ગઈ છે. તેનાથી વિપરીત કોંગ્રેસ અને અવિભાજિત શિવસેનાનું પ્રદર્શન ઘટ્યું છે. અવિભાજિત શિવસેના જે અગાઉ 500 થી વધુ બેઠકો ધરાવતી હતી, હવે 399 બેઠકો ધરાવે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'પ્લેનમાં બોમ્બ છે' ની નોટ મળી આવતા હડકંપ, Indigoનું કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ
AIMIM નું પ્રદર્શન કોંગ્રેસ કરતા ઘણું આગળ
ADVERTISEMENT
ભાજપની જેમ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ રાજ્યભરમાં નોંધપાત્ર ફાયદો મેળવ્યો, 29.78 ટકા સ્ટ્રાઇક રેટ સાથે 126 બેઠકો જીતી.
આમ આદમી પાર્ટીએ 455 બેઠકો પર ચૂંટણી લડી પરંતુ ખાતું ખોલી ન શકી. શરદ પવારની પાર્ટીએ રાજ્યભરમાં ફક્ત 36 બેઠકો જીતી, જ્યારે અજિત પવારની આગેવાની હેઠળેની એનસીપીએ 167 બેઠકો જીતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.