બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / અજિત પવારનું પ્લેન ક્રેશ અકસ્માત કે કાવતરું? ભત્રીજાના મોત પછી શરદ પવારની પહેલી પ્રતિક્રિયા
Last Updated: 07:50 PM, 28 January 2026
Sharad Pawar on Ajit Pawar Plane Crash: અજિત પવારના મૃત્યુ પર શરદ પવારે કહ્યું કે તે એક અકસ્માત હતો અને તેની પાછળ કોઈ કાવતરું નહોતું. શરદ પવારે કહ્યું કે તે એક અકસ્માત હતો આના પર કોઈ રાજકારણ ન થવું જોઇએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રે એક એવો નેતા ગુમાવ્યો છે જેની ખોટ ભરપાઈ સંભવ નથી.
ADVERTISEMENT
તેમના ભત્રીજા અજિત પવારના મૃત્યુ પર શરદ પવારની પહેલી પ્રતિક્રિયા આવી છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે તે એક સંપૂર્ણ અકસ્માત હતો અને તેમાં કોઈ કાવતરું સામેલ નહોતું. શરદ પવારે અપીલ કરી કે આ અકસ્માત પર રાજકારણ ના કરો. તેમણે કહ્યું કે અજિતના મૃત્યુથી મહારાષ્ટ્રને મોટું નુકસાન થયું છે, જેની ભરપાઈ નહી થઇ શકે.

ADVERTISEMENT
આમાં રાજકારણ ન લાવો, આ મારી વિનંતી છે - શરદ પવાર
શરદ પવારે કહ્યું કે જે અકસ્માત થયો છે તે ખૂબ જ દુઃખદ છે. એક મહેનતુ વ્યક્તિના ગુમાવવાથી મહારાષ્ટ્રને નુકસાન થયું છે. જે નુકસાન થયું છે તે ક્યારેય ભરપાઈ થશે નહીં. તેમણે કહ્યું, "આજે બધું આપણા હાથમાં નથી. હું આજે વિનાયકરાવને મળ્યો. કેટલીક દુષ્ટ શક્તિઓ જાણી જોઈને સમાજમાં આ પ્રકારનો પ્રચાર ફેલાવી રહી છે કે શું આ અકસ્માતમાં કોઈ રાજકીય સંડોવણી છે. આમાં કોઈ રાજકારણ નથી. આ ફક્ત એક અકસ્માત છે. મહારાષ્ટ્ર અને આપણે બધા આનાથી ખૂબ જ દુઃખી છીએ. કૃપા કરીને આમાં રાજકારણ ન લાવો, આ મારી વિનંતી છે." ઉલ્લેખનીય છે કે વિપક્ષીના ઘણા નેતાઓએ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પ્લેન ક્રેશ થયું કે તરત અજિત પવારની આ વસ્તુઓ જમીન પર વિખેરાઈ ગઈ, ફોટા વાયરલ
ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
ADVERTISEMENT
અજિત પવારના પાર્થિવ શરીરને હાલમાં અંતિમ દર્શન માટે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનમાં રાખવામાં આવ્યું છે. ગુરુવારે (29 જાન્યુઆરી) પુરા રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ઘણા વિપક્ષી નેતાઓ પણ અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.