બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:37 PM, 28 January 2026
Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના આગેવાન અજિત પવારનું બુધવારે સવારે બારામતીમાં જતાં સમયે વિમાન દુર્ઘટનામાં નિધન થયું. આ દુ:ખદ અકસ્માત પછી સવારે જ્યારે ઘટનાસ્થળની તસવીરો સામે આવી ત્યારે સમગ્ર મહારાષ્ટ્રના થંભી ગયું. વિખરાયેલા કાગળો, વિખરાયેલી ફાઇલો અને તૂટેલી વસ્તુઓ મૌન સાક્ષીઓની જેમ ઉભી રહી, જાણે કે અજિત દાદા તેમના છેલ્લા શ્વાસ સુધી તેમના કામમાં ડૂબેલા હતા. તેઓ ગયા... પરંતુ જમીન પર વિખરાયેલા આ દસ્તાવેજો દર્શાવે છે કે તેમના અંતિમ ક્ષણો સુધી તેમનના મનમાં ન સત્તાનો મોહ હતો, ન શોહરતનો.. બસ કામનું જનૂન હતુ, કામને પુરુ કરવાની બેચેની અને લોકો સુધી યોજનાઓ પહોંચાડવાની મનસા.
ADVERTISEMENT
દરેક અધિકારી, દરેક સાથીદાર અને દરેક કાર્યકર અજિત પવાર વિશે સંમત હતા. તેઓ તેમના કાર્ય પ્રત્યે અત્યંત સતર્ક હતા, પછી ભલે તે વિધાનસભા સત્ર હોય, વહીવટી બેઠક હોય કે જિલ્લાના વિકાસ પ્રોજેક્ટ હોય. તેઓ દરેક કાગળ, દરેક ફાઇલ, દરેક યોજનાને એટલી ઊંડાણપૂર્વક સમજતા હતા કે અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા. તેઓ કોઈપણ મુદ્દાનો સાર, તેની જટિલતા અને તેના ઉકેલને તરત જ જાણતા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ Plane Crash / 'ફ્લાઈટમાં અજિત પવાર સાથે વાત કરાવીશ' પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર પિંકીએ પિતાને કહ્યું હતું
એવું કહેવાય છે કે મુખ્યમંત્રીઓ બદલાઈ શકે છે, મંત્રીમંડળ બદલાઈ શકે છે, પરંતુ અજિત દાદાની કાર્યશૈલી યથાવત રહી. તેઓ દરરોજ સવારે બેઠકો કરતા દરરોજ સાંજે અહેવાલો માંગતા અને દરેક કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર પર સકારાત્મક દબાણ લાવતા.
ADVERTISEMENT
અજિત પવાર ફક્ત એક પ્રશાસક જ નહોતા, તેઓ એક ઉત્તમ આયોજક પણ હતા. રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવતું હતું કે જ્યારે પણ કોઈ કટોકટી ઊભી થાય છે, ત્યારે દાદા સૌથી પહેલા સ્થીતી સંભાળવા ઉભા રહેતા. તેમની ટીમ પર તેમનો કમાન્ડ, તેમના કાર્યકરો સાથેનો તેમનો સંબંધ અને તેમની પાયાની સમજ તેમને અન્ય નેતાઓથી અલગ પાડતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.