બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સનાતન ધર્મમાં શુક્રવારનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધનની દેવીની આરાધના કરવાથી સુખ-શાંતિ, ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જ કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થાય છે. ત્યાં જ આ દિવસ માટે શાસ્ત્રોમાં અમુક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. તેને કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
.jpg)
ADVERTISEMENT
શુક્રવારના દિવસે કરો આ ઉપાય
ધનનો નહીં રહે અભાવ
શુક્રવારના દિવસે સવારે પવિત્ર સ્નાન કરો. તેના બાદ માતા લક્ષ્મીની પૂજા વિધિ વિધાનથી કરો. સાંજના સમયે કેસર મિશ્રિત દૂધ અને મધથી માતાનો અભિષેક કરો. માતાને ગુલાબની ચુંદડી અર્પિત કરો. આ ઉપાયને કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘર પર સદા નિવાસ કરશે. સાથે જ પૈસાની મુશ્કેલીઓ સમાપ્ત થશે.
કરિયરમાં મળશે સફળતા
જો તમે કરિયરના ક્ષેત્રમાં સફળતા મેળવવા માંગો છો તો શુક્રવારના દિવસે શ્રી લક્ષ્મી નારાયણ મંદિર જાઓ અને શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની ઉપાસના કરો. તેની સાથે જ ધનની દેવીને 11 હળદરની ગાંઠ ચડાવો. આમ કરવાથી તમને અક્ષય ફળની પ્રાપ્તિ થશે. સાથે જ કરિયરમાં ઉન્નતિ મળશે.
ADVERTISEMENT

વધુ વાંચો: ભગવાન ભોળાનાથને કરો આ રીતે પ્રસન્ન, તો નર્કમાં જવાના બદલે મુક્તિ મળશે, જાણો શુભ મૂહુર્ત
ADVERTISEMENT
ધનની દેવીને કરો પ્રસન્ન
જો તમે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો તો તમને કોઈ પણ શુક્રવારના દિવસે સાંજે પવિત્ર સ્નાન કર્યા બાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. સાથે જ ધનની દેવીને કમળનું ફૂલ અર્પિત કરવું જોઈએ. તેનાથી માતાનો આશીર્વાદ તમારા આખા પરિવાર પર બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.