બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:55 AM, 8 February 2024
ADVERTISEMENT
માઘ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી નર્ક નિવારણ ચતુર્દશી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે લોકોને નર્કથી પણ મુક્તિ મળે છે. આ દિવસને માસિક શિવરાત્રી પણ કહેવામાં આવે છે. આ વર્ષે 24 ફેબ્રુઆરીએ નર્ક નિવારણ ચતુર્દશી છે.

ADVERTISEMENT
નર્ક નિવારણ ચતુર્દશીની વિશેષતા
સનાતન ધર્મમાં ચતુર્દશી તિથિનું વિશેષ મહત્વ છે. એક વર્ષની અંદર 24 ચતુર્દશી હોય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષનું કહેવું છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન નક્કી થયા હતા. જે પણ લોકો નર્ક ચતુર્દશીનું વ્રત કરે છે, તેમણે નર્ક નથી જવું પડતું. આ સાથે તેમણે જણાવ્યું કે, આ દિવસે ગંગા સ્નાનનો વિશેષ મહિમા છે. આ દિવસે ભગવાન શિવને ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ, ગુલાબ અને બિલી પત્ર અર્પણ કરવા જોઈએ. તેનાથી વિશેષ લાભ મળે છે. આ સાથે તેમણે જણાવ્યું કે જો ભગવાન શિવને લવિંગ અર્પણ કરવામાં આવે તો તેનાથી તમારા દરેક કષ્ટ દૂર થાય છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: આ 4 રાશિના જાતકોમાં લવમેરેજના યોગ, પ્રેમીના દરેક સપના પૂરા કરવાનું હોય છે જનુન, વફાદારી સૌથી વધારે
નર્ક નિવારણ ચતુર્દશીનું શુભ મુહૂર્ત
જ્યોતિષના જણાવ્યા મુજબ, 8 ફેબ્રુઆરી 2024 ના સવારે 6:41 વાગ્યે ચતુર્દશીની તિથિ શરૂ થાય છે. જે 9 ફેબ્રુઆરી 7:22 વાગ્યા સુધી રહેશે. આ તિથિની શરૂઆત ઉત્તરાષદા નક્ષત્રમાં થઈ રહી છે. જે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.