ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં સરકાર પોતાની ભાગીદારી વેચવાની છે. આ સમયે બીપીસીએલ એલપીજી ગેસનો ઉપયોગ કરી રહેલા 7 કરોડથી વધુ ગ્રાહકોના મનમાં સબ્સિડીને લઈને સવાલો ચાલી રહ્યા છે. તેના માટે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટીકરણ આપતાં કહ્યું છે કે દરેક ગ્રાહકોને સબ્સિડી મળતી રહેશે.
LPG સબ્સિડી અંગે સરકારે આપ્યું મોટું નિવેદન
દરેક ગ્રાહકોને સબ્સિડી મળતી રહેશે
7 કરોડ ગ્રાહકોને મળશે રાહત
ગેસ સબ્સિડી મળતી રહેશે
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે બીપીસીએલના ખાનગીકરણ બાદ પણ તે દરેક રસોઈ ગેસ ગ્રાહકોને સબ્સિડી આપશે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે એલપીજી પર સબ્સિડી સીધી જ ગ્રાહકોને અપાશે અન્ય કોઈ કંપનીને નહીં. આ માટે એલપીજી વેચનારી કંપનીના અધિકારની સબ્સિડી પર કોઈ અસર થશે નહીં.
12 રસોઈ ગેસ સિલિન્ડર
સરકાર દરેક કનેક્શન પર દર વર્ષે વધુમાં વધુ 12 રસોઈ ગેસ સિલિન્ડર (14.2 કિલોના) પર સબ્સિડી દરે આપે છે. આ સબ્સિડી સીધી જ ગ્રાહકોના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
આમને પણ મળે છે સબ્સિડી
ગ્રાહકો ડીલરથી બજાર કિંમતે એલપીજી ખરીદે છે અને પછી સબ્સિડી તેમના ખાતામાં આવે છે. સરકાર તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, બીપીસીએલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહકોને સબ્સિડી આપે છે.
સરકાર વેચી રહી છે સંપૂર્ણ ભાગીદારી
સરકાર બીપીસીએલમાં પ્રબંધન નિયંત્રણની સાથે તેની સંપૂર્ણ 53 ટકાની ભાગીદારી વેચી રહી છે. કંપનીના નવા માલિકને ભારતની તેલ શોધન ક્ષમતાના 15.33 ટકા અને ઈંધણ બજારના 22 ટકા ભાગ મળશે. દેશના કુલ 28.5 કરોડ એલપીજી ગ્રાહકોમાં 7.3 કરોડ ગ્રાહકો બીપીસીએલના છે.
ગ્રાહકોનું શું થશે
શું બીપીસીએલના ગ્રાહકો થોડા સમય બાદ આઈઓસી અને એચપીસીએલમાં ફેરવાઈ જશે..સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે આવો કોઈ પ્રસ્તાવ હાલમાં નથી. અમે ગ્રાહકોના ખાતામાં સબ્સિડી આપીએ છીએ તો તેનો હક કંપનીઓને નહીં મળે.