બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:44 AM, 15 July 2026
1/6
ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા આસ્થાનું સૌથી મોટું પર્વ માનવામાં આવે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન માટે પુરી પહોંચે છે. સમુદ્ર કિનારે આવેલા શ્રીમંદિરથી લઈને લગભગ 3 કિલોમીટર લાંબા રથ માર્ગ સુધી ભક્તોની ભીડ જોવા મળે છે. શંખનાદ, ભજન અને જય જગન્નાથના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. આ રથયાત્રામાં ભગવાન ત્રણ અલગ અલગ ભવ્ય રથ પર સવાર થઈને ગુડિંચા મંદિર સુધી જાય છે. આ રથ સાથે જોડાયેલા ઘોડા પણ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ ખાસ મહત્વ ધરાવે છે.
2/6
જગન્નાથ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથ પર સવાર થઈને નગર ભ્રમણ માટે નીકળે છે. આ ત્રણેય રથ સંપૂર્ણ રીતે લાકડાથી તૈયાર કરવામાં આવે છે અને તેને વિશેષ પરંપરા મુજબ શણગારવામાં આવે છે. ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ કહેવાય છે જે પીળા અને લાલ રંગના કપડાથી સજાવવામાં આવે છે. બલભદ્રજીનો રથ તાલધ્વજ કહેવાય છે જે લાલ અને લીલા રંગથી શણગારવામાં આવે છે. જ્યારે માતા સુભદ્રાનો રથ દર્પદલન અથવા પદ્મ રથ તરીકે ઓળખાય છે જે લાલ અને કાળા રંગથી સજાવવામાં આવે છે.
3/6
રથયાત્રા શરૂ થયા બાદ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા મુખ્ય મંદિરથી નીકળીને ગુડિંચા મંદિર પહોંચે છે. ધાર્મિક માન્યતા મુજબ ગુડિંચા મંદિરને ભગવાન જગન્નાથની માસીનું ઘર માનવામાં આવે છે.ભગવાન અહીં નવ દિવસ સુધી રોકાય છે. આ સમય દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે પહોંચે છે. ગુડિંચા મંદિરને ગુડિંચા તીર્થ અને જનકપુરી નામથી પણ ઓળખવામાં આવે છે. આ યાત્રા ભક્તિ અને પરંપરાનું અનોખું ઉદાહરણ છે.
4/6
ગુડિંચા મંદિરમાં નવ દિવસના રોકાણ બાદ ભગવાન જગન્નાથ પોતાના મુખ્ય ધામ શ્રીમંદિરમાં પરત ફરે છે. ભગવાનની આ વાપસી યાત્રાને બાહુડા રથયાત્રા કહેવામાં આવે છે.ઉડિયા ભાષામાં બાહુડાનો અર્થ વાપસી થાય છે. આ યાત્રા પણ મુખ્ય રથયાત્રા જેટલી જ ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક યોજાય છે. ત્રણેય દેવતાઓ ફરી પોતાના રથ પર સવાર થઈને શ્રીમંદિર તરફ પરત ફરે છે અને આ સાથે રથયાત્રાનો પવિત્ર ઉત્સવ પૂર્ણ થાય છે.
5/6
ભગવાન જગન્નાથના રથ નંદીઘોષમાં ચાર સફેદ ઘોડા જોડવામાં આવે છે. આ ઘોડા માત્ર શણગાર માટે નથી પરંતુ ભગવાનના દિવ્ય ગુણોનું પ્રતીક માનવામાં આવે છે.આ ઘોડાઓના નામ શંખ, બાલાહક, શ્વેત અને હરિદાશ્વ છે. શંખ શુભ શરૂઆત અને સકારાત્મકતાનું પ્રતીક છે. બાલાહક ઊર્જા અને ઝડપ દર્શાવે છે. શ્વેત શાંતિ અને સૌમ્યતાનું પ્રતીક છે જ્યારે હરિદાશ્વ જીવનની મુશ્કેલીઓ દૂર કરવાની શક્તિ દર્શાવે છે.
6/6
ભગવાન બલભદ્રના તાલધ્વજ રથમાં ચાર કાળા રંગના ઘોડા જોડવામાં આવે છે. તેમના નામ તીવ્ર, ઘોર, દીર્ઘશર્મા અને સ્વર્ણનાભ છે. આ ઘોડા સમયની ગતિ, જીવનના પરિવર્તન અને મહેનતનું મહત્વ સમજાવે છે. માતા સુભદ્રાના દર્પદલન રથમાં ચાર ઘોડીઓ જોડાય છે. તેમના નામ રોચિકા, મોચિકા, જીતા અને અપરાજિતા છે. આ ઘોડીઓ નારી શક્તિ, આનંદ, મુક્તિ અને અડગ ઇચ્છાશક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જગન્નાથ રથયાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ ભારતની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે. રથ સાથે જોડાયેલા આ પ્રતીકો ભક્તોને આધ્યાત્મિક સંદેશ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
11 ફોટોઝ
Dream Astrology / સપનામાં મૃત્યુ પામેલા સગા-સંબંધીઓ દેખાય તો? જાણો તેનો શુભ-અશુભ અર્થ
ટોપ સ્ટોરીઝ