બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સપનામાં મૃત્યુ પામેલા સગા-સંબંધીઓ દેખાય તો? જાણો તેનો શુભ-અશુભ અર્થ

photo-story

11 ફોટો ગેલેરી

Dream Astrology / સપનામાં મૃત્યુ પામેલા સગા-સંબંધીઓ દેખાય તો? જાણો તેનો શુભ-અશુભ અર્થ

Last Updated: 12:42 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમને પણ સપનામાં ક્યારેક દિવંગત પરિજન કે નજીકના વ્યક્તિ દેખાય છે? સ્વપ્ન શાસ્ત્રમાં આવા સપનાઓને ખાસ સંકેતો સાથે જોડવામાં આવ્યા છે.

1/11

photoStories-logo

1. સપનામાં મૃત્યુ પામેલા સગા-સંબંધીઓ દેખાય તો?

હિંદુ ધર્મમાં સપનાઓને માત્ર મનની કલ્પના માનવામાં આવતા નથી પરંતુ તેને જીવન સાથે જોડાયેલા સંકેતો તરીકે પણ જોવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્રમાં અલગ અલગ પ્રકારના સપનાનો અર્થ સમજાવવામાં આવ્યો છે. જો સપનામાં કોઈ મૃત વ્યક્તિ સ્વસ્થ, બીમાર, ઉદાસ કે મૌન દેખાય તો તેની પાછળ પણ વિશેષ સંકેત હોવાનું માનવામાં આવે છે. આવા સપના ઘણીવાર વ્યક્તિના મનમાં પ્રશ્ન ઊભા કરે છે કે આખરે મૃત સ્વજનો સપનામાં કેમ આવે છે અને તેનો શું અર્થ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૃત વ્યક્તિ સ્વસ્થ દેખાય તો શું સંકેત મળે છે

જો કોઈ વ્યક્તિ લાંબી બીમારી બાદ મૃત્યુ પામી હોય અને તે સપનામાં સ્વસ્થ અને ખુશ દેખાય તો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તેને શુભ સંકેત માનવામાં આવે છે. માન્યતા મુજબ આ સંકેત આપે છે કે તે આત્માને શાંતિ મળી છે. આવા સપનાને આશ્વાસન સ્વપ્ન પણ કહેવામાં આવે છે. તેનો અર્થ એવો માનવામાં આવે છે કે હવે ચિંતા છોડીને જીવનમાં આગળ વધવું જોઈએ અને સકારાત્મક રહેવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. મૃત વ્યક્તિ બીમાર દેખાય તો અધૂરી ઇચ્છાનો સંકેત

જો કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યુ થયું હોય અને તે સપનામાં બીમાર અથવા પરેશાન દેખાય તો સ્વપ્ન શાસ્ત્રમાં તેને અધૂરી ઇચ્છા સાથે જોડવામાં આવે છે.માન્યતા મુજબ જો તમને ખબર હોય કે તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે તો તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એવું કરવાથી આત્માને શાંતિ મળે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. સપનામાં જીવિત વ્યક્તિને મૃત જોવાનો અર્થ

જો તમે સપનામાં કોઈ જીવિત વ્યક્તિને મૃત જુઓ તો ગભરાવાની જરૂર નથી. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આવા સપનાનો અર્થ ઘણીવાર વિપરીત માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આ સપનું તે વ્યક્તિની લાંબી ઉંમર અને જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. મૃત પરિજન સપનામાં આવે પરંતુ કંઈ બોલે નહીં

જો કોઈ મૃત સ્વજન સપનામાં દેખાય પરંતુ કંઈ બોલ્યા વગર ચાલ્યા જાય તો તેને ચેતવણીનો સંકેત માનવામાં આવે છે. માન્યતા મુજબ તેઓ તમને કોઈ બાબતમાં સાવચેત રહેવાનો સંકેત આપી રહ્યા હોઈ શકે છે.આવા સમયે પોતાના નિર્ણય અને કાર્યો પર વિચાર કરવો જોઈએ. કોઈ ઉતાવળમાં ખોટું પગલું ન ભરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૃત સ્વજન આશીર્વાદ આપે કે ઉદાસ દેખાય તો શું અર્થ થાય

જો સપનામાં મૃત પરિજન આશીર્વાદ આપતા દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ જીવનમાં સફળતા અને પ્રગતિ તરફ ઈશારો કરે છે.પરંતુ જો મૃત વ્યક્તિ ઉદાસ કે નારાજ દેખાય તો તેને પોતાના નિર્ણય પર વિચાર કરવાનો સંકેત માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ કોઈ ભૂલ સુધારવાની ચેતવણી હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. સપનામાં મૃત વ્યક્તિ કોઈ વસ્તુ માંગે તો

જો સપનામાં મૃત સ્વજન ભૂખ્યા દેખાય અથવા તેમને કોઈ વસ્તુની જરૂર હોય તેવું લાગે તો તેને તેમની કોઈ ઈચ્છા સાથે જોડવામાં આવે છે.માન્યતા મુજબ આવી સ્થિતિમાં તેમની યાદમાં દાન કરવું જોઈએ અને મનથી તે વસ્તુ તેમને સમર્પિત કરવી જોઈએ. આથી મનને શાંતિ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૃત સ્વજન ઘર કે આસપાસ દેખાય તો

જો મૃત પરિજન સપનામાં ઘર અથવા ઘરની આસપાસ દેખાય તો તેને પરિવાર સાથેના લાગણીભર્યા જોડાણનું પ્રતીક માનવામાં આવે છે.આવી સ્થિતિમાં પિતરોના નામે દાન કરવું અને ગાયને રોટલી ખવડાવવી શુભ માનવામાં આવે છે. આ પરંપરા પિતૃઓના આશીર્વાદ મેળવવા સાથે જોડાયેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. સપનામાં અંતિમ યાત્રા જોવાનો અર્થ

સપનામાં કોઈની અંતિમ યાત્રા જોવી હંમેશા અશુભ માનવામાં આવતી નથી. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તેનો અર્થ ઘણીવાર જીવનમાં નવા બદલાવ સાથે જોડવામાં આવે છે.માન્યતા મુજબ આ સપનું તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવાનો સંકેત પણ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૃત વ્યક્તિ ગુસ્સામાં કે રડતા દેખાય તો

જો સપનામાં મૃત વ્યક્તિ ગુસ્સામાં દેખાય તો તેને કોઈ અપેક્ષા અથવા સંદેશ સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ કોઈ વાત તરફ ધ્યાન દોરવા માંગે છે.જો મૃત વ્યક્તિ રડતા દેખાય તો પણ તેને કેટલાક લોકો શુભ સંકેત માને છે. આ આવનારા સારા સમય અને જીવનમાં પરિવર્તન તરફ ઈશારો કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dead Relatives Dream Meaning Swapna Shastra Dream Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ