બ્રેકિંગ ન્યુઝ
11 ફોટો ગેલેરી
Last Updated: 12:42 PM, 15 July 2026
1/11
હિંદુ ધર્મમાં સપનાઓને માત્ર મનની કલ્પના માનવામાં આવતા નથી પરંતુ તેને જીવન સાથે જોડાયેલા સંકેતો તરીકે પણ જોવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્રમાં અલગ અલગ પ્રકારના સપનાનો અર્થ સમજાવવામાં આવ્યો છે. જો સપનામાં કોઈ મૃત વ્યક્તિ સ્વસ્થ, બીમાર, ઉદાસ કે મૌન દેખાય તો તેની પાછળ પણ વિશેષ સંકેત હોવાનું માનવામાં આવે છે. આવા સપના ઘણીવાર વ્યક્તિના મનમાં પ્રશ્ન ઊભા કરે છે કે આખરે મૃત સ્વજનો સપનામાં કેમ આવે છે અને તેનો શું અર્થ હોઈ શકે છે.
2/11
જો કોઈ વ્યક્તિ લાંબી બીમારી બાદ મૃત્યુ પામી હોય અને તે સપનામાં સ્વસ્થ અને ખુશ દેખાય તો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તેને શુભ સંકેત માનવામાં આવે છે. માન્યતા મુજબ આ સંકેત આપે છે કે તે આત્માને શાંતિ મળી છે. આવા સપનાને આશ્વાસન સ્વપ્ન પણ કહેવામાં આવે છે. તેનો અર્થ એવો માનવામાં આવે છે કે હવે ચિંતા છોડીને જીવનમાં આગળ વધવું જોઈએ અને સકારાત્મક રહેવું જોઈએ.
3/11
જો કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યુ થયું હોય અને તે સપનામાં બીમાર અથવા પરેશાન દેખાય તો સ્વપ્ન શાસ્ત્રમાં તેને અધૂરી ઇચ્છા સાથે જોડવામાં આવે છે.માન્યતા મુજબ જો તમને ખબર હોય કે તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે તો તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એવું કરવાથી આત્માને શાંતિ મળે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
4/11
5/11
જો કોઈ મૃત સ્વજન સપનામાં દેખાય પરંતુ કંઈ બોલ્યા વગર ચાલ્યા જાય તો તેને ચેતવણીનો સંકેત માનવામાં આવે છે. માન્યતા મુજબ તેઓ તમને કોઈ બાબતમાં સાવચેત રહેવાનો સંકેત આપી રહ્યા હોઈ શકે છે.આવા સમયે પોતાના નિર્ણય અને કાર્યો પર વિચાર કરવો જોઈએ. કોઈ ઉતાવળમાં ખોટું પગલું ન ભરવું જોઈએ.
6/11
જો સપનામાં મૃત પરિજન આશીર્વાદ આપતા દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ જીવનમાં સફળતા અને પ્રગતિ તરફ ઈશારો કરે છે.પરંતુ જો મૃત વ્યક્તિ ઉદાસ કે નારાજ દેખાય તો તેને પોતાના નિર્ણય પર વિચાર કરવાનો સંકેત માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ કોઈ ભૂલ સુધારવાની ચેતવણી હોઈ શકે છે.
7/11
જો સપનામાં મૃત સ્વજન ભૂખ્યા દેખાય અથવા તેમને કોઈ વસ્તુની જરૂર હોય તેવું લાગે તો તેને તેમની કોઈ ઈચ્છા સાથે જોડવામાં આવે છે.માન્યતા મુજબ આવી સ્થિતિમાં તેમની યાદમાં દાન કરવું જોઈએ અને મનથી તે વસ્તુ તેમને સમર્પિત કરવી જોઈએ. આથી મનને શાંતિ મળે છે.
8/11
9/11
10/11
જો સપનામાં મૃત વ્યક્તિ ગુસ્સામાં દેખાય તો તેને કોઈ અપેક્ષા અથવા સંદેશ સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ કોઈ વાત તરફ ધ્યાન દોરવા માંગે છે.જો મૃત વ્યક્તિ રડતા દેખાય તો પણ તેને કેટલાક લોકો શુભ સંકેત માને છે. આ આવનારા સારા સમય અને જીવનમાં પરિવર્તન તરફ ઈશારો કરી શકે છે.
11/11
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ