બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથના સોનાવેશના દિવ્ય દર્શન, મંદિરમાં ઉમટ્યા હજારો ભાવિકો

photo-story

6 ફોટો ગેલેરી

Rathyatra 2026 / રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથના સોનાવેશના દિવ્ય દર્શન, મંદિરમાં ઉમટ્યા હજારો ભાવિકો

Last Updated: 01:11 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદમાં 149મી રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથના વિશેષ દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના એક દિવસ પહેલા ભગવાનને સોનાના આભૂષણોથી શણગારવામાં આવતા હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા.

1/6

photoStories-logo

1. રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ

અમદાવાદમાં યોજાનારી 149મી ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના એક દિવસ પહેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વિશેષ રીતે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. ભગવાનના આ અલૌકિક સ્વરૂપના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો જગન્નાથ મંદિરે પહોંચવા લાગ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને દરેક ભક્ત ભગવાનના એક ઝલક દર્શન માટે આતુર જોવા મળ્યો

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર

રથયાત્રા પૂર્વે ભગવાનના આ વિશેષ શણગારના દર્શન દર વર્ષે ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સુંદર સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. ભગવાનના દિવ્ય અને ભવ્ય સ્વરૂપના દર્શન માટે મંદિરના દરવાજા વહેલી સવારથી ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. દર્શન શરૂ થતાં જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વિવિધ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ

ભગવાનના દર્શન કરવા માટે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં સતત "જય જગન્નાથ"ના જયઘોષ ગુંજી રહ્યા હતા. ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા. ઘણા પરિવારો બાળકો સાથે ભગવાનના દર્શન કરવા આવ્યા હતા અને રથયાત્રા પૂર્વે ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સૂરથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું

મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વધુ જીવંત બન્યો હતો જ્યારે ભક્તોએ એકસાથે ધૂન અને ભજન ગાવા શરૂ કર્યા હતા. ભગવાનના નામનો જાપ અને ભજનોના સૂરથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ઉત્સાહભેર ધૂન બોલાવી અને ભક્તિનો રંગ જમાવ્યો હતો. રથયાત્રા પૂર્વે આ દૃશ્ય દરેક માટે યાદગાર બની રહ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ભગવાનના ચરણોમાં નમન કરતા જોવા મળ્યા

મંદિરે આવેલા એક ભક્તે જણાવ્યું કે, "અમે છેલ્લા પાંચ દિવસથી સતત અહીં આવીને ભજન-કીર્તન કરી રહ્યા છીએ. ભગવાન જગન્નાથના દર્શન અને તેમની સેવા કરવાનો અવસર મળવો એ અમારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. રથયાત્રા પહેલા ભગવાનના સોનાના શણગારના દર્શન કરીને મનને અદભુત શાંતિ અને આનંદ મળે છે." આવા ભાવ સાથે અનેક ભક્તો ભગવાનના ચરણોમાં નમન કરતા જોવા મળ્યા હતા

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ભક્તો ભગવાનના રથના દર્શન માટે ઉમટી

અમદાવાદની 149મી રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના સોનાના આભૂષણોમાં થયેલા અલૌકિક દર્શને સમગ્ર મંદિરને ભક્તિ અને આસ્થાના રંગમાં રંગી દીધું હતું. વહેલી સવારથી ભક્તોનો સતત ઘસારો, મંદિર પરિસરમાં ગુંજતા ભજન અને ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શનથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. હવે સૌની નજર આવતીકાલે નીકળનારી ભવ્ય 149મી રથયાત્રા પર ટકેલી છે, જેમાં લાખો ભક્તો ભગવાનના રથના દર્શન માટે ઉમટી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gold Ornament Ahmedabad Jagannath Rath Yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ