બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / Lord Kalki will incarnate in this village PM Modi laid the foundation stone of the temple

Kalki Dham Mandir / ભારતના આ ગામમાં જ અવતાર લેશે ભગવાન કલ્કિ: આજે PM મોદીએ મંદિરનું કર્યું શિલાન્યાસ, જાણો શું છે માન્યતા

Published By: Megha

Last Updated: 11:30 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના દસ અવતાર છે, જેમાંથી 9 અવતારનો જન્મ થઈ ગયો છે અને ભગવાન કલ્કિ દસમા અવતાર તરીકે જન્મ લેશે, જે કળિયુગના અંતમાં દુષ્ટોનો સંહાર કરશે.

Kalki Dham Mandir: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. સંભાલમાં બનવા જઈ રહેલા શ્રી કલ્કિ ધામને વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોના 10 અલગ-અલગ ગર્ભગૃહ હશે. શ્રી કલ્કિ ધામ મંદિર સંકુલ પાંચ એકરમાં પૂર્ણ થશે. જેને બનતા 5 વર્ષ લાગશે. 

કલિયુગનો અંત ભગવાન વિષ્ણુના કલ્કિ અવતાર સાથે થશે
ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધ્યો છે ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે અવતાર લીધો છે. આ રીતે, ધાર્મિક ગ્રંથોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન છે, જેમાંથી મુખ્ય 10 અવતારોમાંથી કલ્કિ અવતાર એ ભગવાન વિષ્ણુનો 10મો અવતાર છે, જે બનવાનો બાકી છે. એવું માનવામાં આવે છે કે કલિયુગનો અંત ભગવાન વિષ્ણુના કલ્કિ અવતાર સાથે થશે.

ભગવાન કલ્કિ કોણ છે?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે કળિયુગમાં પાપ તેની ચરમસીમા પર હશે, ત્યારે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કિ દુષ્ટોને મારવા માટે અવતાર લેશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ 432000 વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે કલ્કિ અવતાર લેશે. આ રીતે, સંભલનું કલ્કિ ધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થળ હશે, જ્યાં ભગવાનની મૂર્તિ તેમના જન્મ પહેલા જ સ્થાપિત કરવામાં આવશે.

PM Narendra Modi will lay the foundation stone of Sri Kalki Dham temple in Sambhal district today

ક્યારે થશે ભગવાન કલ્કિનો જન્મ
ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન કલ્કિનો જન્મ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં પાંચમની તિથિ પર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ નજીક સ્થિત સંભલમાં વિષ્ણુયકશા નામના એક બ્રાહ્મણ પરિવારમાં થશે. ભગવાન કલ્કીના પિતા એક વિષ્ણુ ભક્ત હશે, સાથે જ વેદો અને પુરાણોનું પણ જ્ઞાન હશે. પુરાણો અનુસાર કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કિના રૂપમાં અવતરશે અને પૃથ્વી પરથી પાપીઓનો નાશ કરશે અને પછી ધર્મનો ધ્વજ લહેરાશે. આ પછી સત્યયુગ ફરી શરૂ થશે. 

વધુ વાંચો: એક નહીં, 10 ગર્ભગૃહ, 108 ફૂટ ઊંચું શિખર...: અનોખુ હશે કલ્કિ ધામ મંદિર, જાણો ખાસિયત

ભગવાનનો આ અવતાર 64 કલાઓથી સજ્જ હશે
'અગ્નિ પુરાણ'ના સોળમા અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડેસવાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે. જે કળિયુગના પાપીઓનો નાશ કરશે. ભગવાનનો આ અવતાર 64 કલાઓથી સજ્જ હશે. કલ્કિ ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસેથી ચમત્કારિક શક્તિઓ મેળવીને અધર્મનો નાશ કરશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Kalki Awatar Kalki Bhagavan Kalki Dham Kalki Dham Mandir અગ્નિ પુરાણ કલ્કિ ધામ કલ્કિ ધામ મંદિર ભગવાન કલ્કિ Kalki Dham Mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ