બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Narendra Modi will lay the foundation stone of Sri Kalki Dham temple in Sambhal district today

શિલાન્યાસ / એક નહીં, 10 ગર્ભગૃહ, 108 ફૂટ ઊંચું શિખર...: અનોખુ હશે કલ્કિ ધામ મંદિર, જાણો ખાસિયત

Published By: Vishal Khamar

Last Updated: 09:08 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ 432000 વર્ષનો છે. જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે. ત્યારે કલ્કિ અવતાર લેશે. આ રીતે સંભલનું કલ્કિ ધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થળ હશે. જ્યાં ભગવાનની મૂર્તિ તેમના જન્મ પહેલા જ સ્થાપિત કરવામાં આવશે.

  • PM નરેન્દ્ર મોદી આજે સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કરશે
  • કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હતું
  • કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 'પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ' કરવા બદલ હાંકી કાઢ્યા

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. તેઓ 1 ફેબ્રુઆરીએ પીએમ મોદીને મળ્યા હતા અને તેમને મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. થોડા દિવસો પછી, કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 'પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ'માં સામેલ થવાનું કારણ આપીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.

ભગવાન કલ્કીને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર માનવામાં આવે

શિલાન્યાસનો કાર્યક્રમ સવારે સાડા દસ વાગ્યે શરૂ થશે, જેમાં અનેક સંતો, ધર્મગુરુઓ અને અન્ય મહાનુભાવો હાજરી આપશે. આ પ્રસંગે પીએમ મોદી જનસભાને પણ સંબોધિત કરશે. ભગવાન કલ્કીને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર માનવામાં આવે છે. સંભાલમાં બનવા જઈ રહેલા શ્રી કલ્કિ ધામને વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોના 10 અલગ-અલગ ગર્ભગૃહ હશે. શ્રી કલ્કિ ધામ મંદિર સંકુલ પાંચ એકરમાં પૂર્ણ થશે. જેને 5 વર્ષ લાગશે. 

મંદિર 11 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં સ્થિત બંશી પહાડપુરના ગુલાબી પથ્થરોથી પણ આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાતનું સોમનાથ મંદિર અને અયોધ્યા રામ મંદિર પણ અહીંના પથ્થરોથી બનેલું છે. મંદિર 11 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે, તેના શિખરની ઊંચાઈ 108 ફૂટ હશે. મંદિરમાં 68 મંદિરોની સ્થાપના કરવામાં આવશે, જ્યારે ક્યાંય સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કલ્કિ ધામમાં ભગવાન કલ્કીની નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, જ્યારે જૂની કલ્કિપીઠ યથાવત રહેશે. 

વધુ વાંચોઃ મોદી સરકારે અડધી રાતે ખેડૂતોને કઈ ગેરંટી આપી કે દિલ્હી ચલો આંદોલન થયું 'હોલ્ડ'?

ભગવાન કલ્કિ કોણ છે?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે કળિયુગમાં પાપ તેની ચરમસીમા પર હશે, ત્યારે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કિ દુષ્ટોને મારવા માટે અવતાર લેશે. અગ્નિ પુરાણના 16મા અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડેસવાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. જેમાં ભગવાન કલ્કિના ઘોડાનું નામ દેવદત્ત તરીકે દર્શાવવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ 432000 વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે કલ્કિ અવતાર લેશે. આ રીતે, સંભલનું કલ્કિ ધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થળ હશે, જ્યાં ભગવાનની મૂર્તિ તેમના જન્મ પહેલા જ સ્થાપિત કરવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Kalki Dham Prime Minister Narendra Modi shilanyas આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કલ્કિ ધામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન મોદી શિલાન્યાસ Uttar Pradesh

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ