બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગ્રાહકોની સમસ્યાનું સમાધાન હવે QR કૉડ સ્કેનમાં, વધી હોટલ-રેસ્ટોરન્ટના માલિકોની મુશ્કેલી!
Last Updated: 09:17 AM, 5 August 2025
ગ્રાહકોની સમસ્યાનુ હવે જલ્દી જ નિરાકરણ આવશે કારણ કે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખરાબ ખાવાની ફરિયાદ હવે QR કોડ સ્કેન કરીને થઈ શકશે. રેસ્ટોરન્ટની સાફ-સફાઈ અને ખાવાની ગુણવત્તામાં કોઈ ખામી કે ખરાબીને લઈને FSSAIએ એક નવું પગલું ભર્યું છે. જેમાં હવે ગ્રાહકો QR કોડ સ્કેન કરીને તેના માધ્યમથી ફરિયાદ કરી શકશે ચાલો જાણીએ કે કેવી રીતે?
ADVERTISEMENT
તમે કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં જાવ છો ત્યારે એ તો જરૂર જ જોવો છો કે ત્યાં આગળ સાફ-સફાઈ છે કે નહીં ખાવાનું કેવું છે હાઈજેનિક છે કે નહીં? તો એની ક્વોલિટી કેવી છે પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે ખૂબ મોંઘો ચાર્જ લીધા પછી પણ રેસ્ટોરન્ટ કે હોટલમાં સાફ-સફાઈનો અભાવ અને ખાવાની ક્વોલિટી ખરાબ હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. કોઈ વાર તમે ફરિયાદ કરી હોય પરંતુ સ્ટાફ આ ફરિયાદને અવગણે છે અને ઘણીવાર તો આપણે પોતે ફરિયાદ કરવા માટે અસમર્થ હોઈએ છીએ. પરંતુ હવે તમે QR કોડના માધ્યમથી ફરિયાદ કરી શકો છો જી હા સુવિધા આપી છે FSSAIએ. તો ચાલો જાણીએ કે આ સુવિધાનો લાભ આપણે કેવી રીતે ઉઠાવી શકીએ છીએ.

ADVERTISEMENT
કેવી રીતે ફરિયાદ કરવી
તાજેતરમાં FSSAI એ બધા જ રેસ્ટોરન્ટ ધાબા કેફે બેકરી અને ખાનપાનની દુકાનોને સૂચના આપી છે કે તેઓ પોતાની દુકાનમાં ફૂડ સેફ્ટી કનેક્ટ એપનો ક્યુઆર કોડ લગાવે. આ QR કોડ બિલિંગ કાઉન્ટર અથવા ડાઇનિંગ એરિયા જેવી જગ્યા પર લગાવવો જેનાથી ગ્રાહકોની નજર તેના ઉપર સરળતાથી પડી શકે. FSSAIનો હેતુ જે પણ ઉપભોક્તા કે ગ્રાહકો છે તેમને સરળતાથી અને પારદર્શક એક માધ્યમ મળી રહે તે છે, જેનાથી તેઓ કોઈપણ ડર કે ખચકાયા વિના પોતાની ફરિયાદ નોંધાવી શકે.
ADVERTISEMENT
વધુમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ અને રેસ્ટોરન્ટની વેબસાઈટ પર પણ આ QR કોડ અથવા એપ ડાઉનલોડ કરવા માટે લિંક મૂકવી જરૂરી છે.
આ પણ વાંચો: હજુ તો 2 જ મહિના થયા મહિલાની મોતને, અને ઓચિંતા એકાઉન્ટમાં આવ્યા અરબો રૂપિયા, IT વિભાગમાં હડકંપ
ADVERTISEMENT
ફાયદા શું?
તમને જણાવી દઈએ કે આ QR કોડને સ્કેન કરીને યુઝર્સ સીધેસીધી FSSAIને ફરિયાદ કરી શકે છે તેમની ફરિયાદ FSSAIના કમ્પ્લેઇન પોર્ટલ પર સીધી જશે.
ADVERTISEMENT
FSSAIનો આ નિર્ણય યુઝર્સને સશક્ત બનાવવા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે એટલે કે હવે તમે કોઈપણ રેસ્ટોરન્ટમાં જાવ છો અને ખોરાકમાં જીવજંતુ કે ફૂગ, અન્ય કોઈ ખરાબી જોવા મળે છે અથવા જો ખાવાનું વાસી હોય તો ફૂડ પોઈઝનિંગની ફરિયાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે તરત જ આ એપ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકો છો, આટલું જ નહીં રેસ્ટોરન્ટ દ્વારા ખાન-પાનનું પેકેજીંગ વ્યવસ્થિત ન હોય અથવા ખોટી માહિતી આપી હોય તો પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. આ એપ તમામ ફરિયાદોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડે છે જેનાથી તુરંત જ કાર્યવાહી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.