બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમે મચ્છરોના ફેવરેટ છો, કેમ તમને જ વધારે કરડે છે? જાણો કારણ
Last Updated: 06:15 PM, 16 June 2026
શું તમારી સાથે પણ એવુ બને છે કે એક જ રુમમાં તમારી બીજા લોકો પણ બેઠા હોય તો પણ વારંવાર તમને જ મચ્છર કરડે છે. ઘણા લોકો મજાકમાં કહેતા હોય છે કે મચ્છરને મારુ લોહી વધુ પસંદ કરે છે. પરંતુ વિજ્ઞાન તેની પાછળ બીજી કહાની કહે છે. મચ્છર કોઇ વ્યક્તિને એમ જ નથી પસંદ કરતા, બહુ સમજી વિચારીને પોતાનો શિકાર બનાવે છે. આવો કઇ કઇ બાબતોના કારણે મચ્છર કરડે છે તેના વિશે જાણીએ...
ADVERTISEMENT
શા માટે અમુક લોકોને મચ્છર વધુ કરડે છે ?
માનવ શરીરની રચના અને પ્રવૃત્તિઓ મચ્છરોને આકર્ષતી હોય છે. અમુક લોકોના શરીરમાંથી લૈક્ટિક એસિડ જેવા કેમિકલ્સ વધુ નીકળે છે. મચ્છર આવા લોકોને વધુ શિકાર બનાવે છે. વિજ્ઞાનિકોના અધ્યયન મુજબ O બ્લડ ગ્રુપ લોહી ધરાવતા લોકોને મચ્છર વધુ કરડે છે. મેદસ્વી લોકો, સગર્ભા સ્ત્રી અને શારીરિક શ્રમ ઓછો કરતા લોકો મચ્છરનો વધુ શિકાર બને છે. એવુ પણ સામે આવ્યુ છે કે દારુનુ સેવન કરતા લોકોને મચ્છર વધુ કરડતા હોય છે.
ADVERTISEMENT

વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, મચ્છરોને 'O' બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોનું લોહી સૌથી વધુ ભાવે છે. 'A' કે 'B' બ્લડ ગ્રૂપવાળા લોકોની સરખામણીમાં 'O' ગ્રૂપવાળા લોકોને મચ્છર બમણા કરડે છે. આપણું શરીર ત્વચા દ્વારા એવા સંકેતો (Saccharides) બહાર ફેંકે છે જેનાથી મચ્છરોને બ્લડ ગ્રૂપની ખબર પડી જાય છે.
ADVERTISEMENT
મચ્છરો કાર્બન ડાયોક્સાઇડ ગેસના પ્રત્યે ખૂબ આકર્ષિત થાય છે. જે લોકો શ્વાસ છોડતી વખતે વધુ પ્રમાણમાં CO2 બહાર કાઢે છે, મચ્છરો તેમને દૂરથી જ ઓળખી લે છે.આ જ કારણ છે કે ગર્ભવતી મહિલાઓ અને વજનદાર (જાડા) લોકો સામાન્ય લોકો કરતા વધુ CO2 બહાર કાઢતા હોવાથી તેમને મચ્છર વધુ કરડે છે.
જ્યારે તમે કસરત કરો છો અથવા ગરમીમાં હોવ છો, ત્યારે શરીરમાંથી પરસેવો નીકળે છે. પરસેવામાં લેક્ટિક એસિડ, યુરિક એસિડ અને એમોનિયા જેવા તત્વો હોય છે. મચ્છરોની સુંઘવાની શક્તિ બહુ તીવ્ર હોય છે અને તેઓ આ ગંધ તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે.
ADVERTISEMENT

આપણી ત્વચા પર કુદરતી રીતે જ હજારો પ્રકારના માઇક્રોસ્કોપિક બેક્ટેરિયા (જીવાણુ) રહેલા હોય છે. દરેક વ્યક્તિના શરીરના બેક્ટેરિયા અલગ-અલગ હોય છે, જે એક ખાસ પ્રકારની શારીરિક ગંધ (Body Odor) પેદા કરે છે. જે લોકોના શરીરમાંથી મચ્છરોને ગમતી ખાસ ગંધ આવે છે, તેમને મચ્છર વધુ શિકાર બનાવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાત્રે દહીં ખાવું ફાયદાકારક કે નુકસાનકારક? જાણો ડોક્ટરો શું કહે છે
મચ્છરો થર્મલ સેન્સર્સ (ગરમી શોધવાની ક્ષમતા) ધરાવે છે. જે લોકોના શરીરનું તાપમાન કુદરતી રીતે થોડું વધારે રહેતું હોય અથવા જેઓ શારીરિક મહેનત કરીને આવ્યા હોય, તેમના શરીરની ગરમી પકડીને મચ્છરો તેમની આસપાસ ગણગણવા લાગે છે.મચ્છરો માત્ર સુંઘીને જ નહીં, પણ જોઈને પણ શિકાર શોધે છે. તેઓ ખાસ કરીને કાળો, નેવી બ્લુ, કે લાલ જેવા ઘેરા (Dark) રંગો તરફ વધુ આકર્ષિત થાય છે. જો તમે આછા કે સફેદ રંગના કપડાં પહેર્યા હશે, તો મચ્છરો તમને સરળતાથી જોઈ શકતા નથી.
ADVERTISEMENT
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.