બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:52 PM, 16 June 2026
મહારાષ્ટ્રના રાજકીય ગલિયારાઓમાં ફરી એકવાર પક્ષપલટા અને મોટા રાજકીય ભૂકંપની અટકળો તેજ થઈ ગઈ છે. શિંદે જૂથ દ્વારા ચલાવવામાં આવી રહેલા કથિત 'ઓપરેશન ટાઈગર' ના હોબાળા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પક્ષના સાંસદો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ અત્યંત કડક શબ્દોમાં નેતાઓને સંદેશ આપ્યો છે કે તેઓ કોઈના પર પક્ષમાં રહેવા માટે દબાણ લાવશે નહીં.
ADVERTISEMENT

ADVERTISEMENT
વર્ષ 2022 માં શિવસેનામાં થયેલી ઐતિહાસિક બગાવત, જેના કારણે પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો, તેનો ઉલ્લેખ કરતા ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં જણાવ્યું કે જ્યારે તેઓ મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે પણ તેમને આ બધી હલચલની ખબર હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાકરેએ સાંસદોને સંબોધતા કહ્યું, આશરે 4 વર્ષ પહેલા પક્ષમાં મોટી તૂટ થઈ હતી અને 40 ધારાસભ્યો પક્ષ છોડીને ચાલ્યા ગયા હતા. શું તમને લાગે છે કે મને ખબર નહોતી કે પડદા પાછળ શું ચાલી રહ્યું છે? તેમણે ઉમેર્યું કે જેમણે બાળાસાહેબ ઠાકરેની શિવસેના છોડી છે, તેમને ભવિષ્યમાં પોતાના નિર્ણય પર પસ્તાવો થશે પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હશે. તેમણે કાર્યકર્તાઓ અને સાંસદોમાં જોશ પૂરતા કહ્યું કે, થઈ શકે છે કે આજે મારો સમય ન હોય, પરંતુ આવતીકાલ ચોક્કસપણે મારી હશે. ત્યાં સુધી આપણે મેદાનમાં ડટે રહેવું પડશે અને હિંમત રાખવી પડશે.
ADVERTISEMENT
બીજી તરફ, નવી દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન શિવસેના (UBT) ના ફાયરબ્રાન્ડ સાંસદ સંજય રાઉતે આ સમાચારોને સંપૂર્ણપણે અફવા ગણાવીને નકારી કાઢ્યા છે. રાઉતે દાવો કર્યો કે તેઓ આખી બેઠકમાં રૂબરૂ હાજર હતા અને ઉદ્ધવ ઠાકરેએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. સંજય રાઉતે પક્ષની અંદર કોઈ પણ પ્રકારના મતભેદ કે તૂટની અટકળોને ફગાવતા સ્પષ્ટ કર્યું કે શિવસેના (UBT) ના તમામ 9 સાંસદો સંપૂર્ણપણે એકજૂથ છે. સાંસદ સંજય દેશમુખ અને શિવસેના મંત્રી પ્રતાપરાવ જાધવ વચ્ચે થયેલી મુલાકાત પર સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું મંત્રીઓને મળવું સામાન્ય બાબત છે. જો મારે ભવિષ્યમાં કોઈ કામ હશે તો હું પણ દેશના વડાપ્રધાનને મળીશ. આવી જનહિતની મુલાકાતોને ખોટો રાજકીય રંગ આપવો જોઈએ નહીં. તેમણે ઉમેર્યું કે શરદ પવાર બાદ ઉદ્ધવ ઠાકરે જ એકમાત્ર એવા નેતા છે જેમના 'માતોશ્રી' ના દરવાજા સામાન્ય કાર્યકર્તાઓ માટે હંમેશા ખુલ્લા રહે છે.
#WATCH | Delhi | On reports of five Shiv Sena (UBT) MPs likely to form another group, Shiv Sena UBT MP Sanjay Raut says, "This is a lie. We have no such information. Four days ago, all these MPs took part in a meeting called by Uddhav Thackeray ji and expressed faith in his… pic.twitter.com/pMlYnbLcte
— ANI (@ANI) June 16, 2026
ADVERTISEMENT
ઉદ્ધવ જૂથના આ દાવાઓથી વિપરિત, મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓ 'ઓપરેશન ટાઈગર' ને લઈને ભારે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી પ્રતાપ સરનાઈકે દાવો કર્યો છે કે ઓપરેશન ટાઈગર એ કોઈ વન-ટાઇમ પોલિટિકલ સ્ટંટ નથી, પરંતુ તે આખું વર્ષ ચાલતી એક સદંતર પ્રક્રિયા છે. જે નેતાઓ પોતાના પક્ષમાં ઉપેક્ષિત અનુભવે છે, તેઓ એકનાથ શિંદેની વિચારધારાથી પ્રભાવિત થઈને અમારી સાથે જોડાઈ રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ, NEET પુનઃપરીક્ષા પહેલાં કેન્દ્ર સરકારનું મોટું પગલું
આ વિવાદને વધુ હવા આપતા શિવસેના ધારાસભ્ય કૃપાલ તુમાનેએ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. તુમાનેના જણાવ્યા મુજબ, ઉદ્ધવ જૂથના 9 માંથી 7 સાંસદો અને આશરે 16 ધારાસભ્યો હાલમાં સીએમ એકનાથ શિંદેના સીધા સંપર્કમાં છે અને તેઓ મહારાષ્ટ્રના વિકાસ કાર્યો માટે ટૂંક સમયમાં જ શિંદે જૂથ સાથે કામ કરવાના નિર્ણયો લઈ શકે છે. આ પરસ્પર વિરોધી દાવાઓને કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્રનું રાજકારણ વધુ ગરમાય તેવી પૂરી સંભાવના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.