બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'જેમને જવું હોય તે જતા રહે'ઓપરેશન ટાઈગરની ચર્ચા વચ્ચે ઉદ્ધવ ઠાકરેની બળવાખોરોને ચેતવણી

રાજનીતિ / 'જેમને જવું હોય તે જતા રહે'ઓપરેશન ટાઈગરની ચર્ચા વચ્ચે ઉદ્ધવ ઠાકરેની બળવાખોરોને ચેતવણી

Pravin Joshi

Last Updated: 04:52 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગરને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સાંસદોની બેઠકમાં એક મોટો સંદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે જે નેતાઓ પક્ષ છોડવા માંગે છે તેઓ જવા માટે સ્વતંત્ર છે અને તેમને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રના રાજકીય ગલિયારાઓમાં ફરી એકવાર પક્ષપલટા અને મોટા રાજકીય ભૂકંપની અટકળો તેજ થઈ ગઈ છે. શિંદે જૂથ દ્વારા ચલાવવામાં આવી રહેલા કથિત 'ઓપરેશન ટાઈગર' ના હોબાળા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પક્ષના સાંસદો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ અત્યંત કડક શબ્દોમાં નેતાઓને સંદેશ આપ્યો છે કે તેઓ કોઈના પર પક્ષમાં રહેવા માટે દબાણ લાવશે નહીં.

Uddhav-Thackeray

'આજે મારો સમય નથી, પણ કાલે મારો સમય જરૂર આવશે'

વર્ષ 2022 માં શિવસેનામાં થયેલી ઐતિહાસિક બગાવત, જેના કારણે પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો, તેનો ઉલ્લેખ કરતા ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં જણાવ્યું કે જ્યારે તેઓ મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે પણ તેમને આ બધી હલચલની ખબર હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાકરેએ સાંસદોને સંબોધતા કહ્યું, આશરે 4 વર્ષ પહેલા પક્ષમાં મોટી તૂટ થઈ હતી અને 40 ધારાસભ્યો પક્ષ છોડીને ચાલ્યા ગયા હતા. શું તમને લાગે છે કે મને ખબર નહોતી કે પડદા પાછળ શું ચાલી રહ્યું છે? તેમણે ઉમેર્યું કે જેમણે બાળાસાહેબ ઠાકરેની શિવસેના છોડી છે, તેમને ભવિષ્યમાં પોતાના નિર્ણય પર પસ્તાવો થશે પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હશે. તેમણે કાર્યકર્તાઓ અને સાંસદોમાં જોશ પૂરતા કહ્યું કે, થઈ શકે છે કે આજે મારો સમય ન હોય, પરંતુ આવતીકાલ ચોક્કસપણે મારી હશે. ત્યાં સુધી આપણે મેદાનમાં ડટે રહેવું પડશે અને હિંમત રાખવી પડશે.

સંજય રાઉતનો અહેવાલો પર પલટવાર અને ખંડન

બીજી તરફ, નવી દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન શિવસેના (UBT) ના ફાયરબ્રાન્ડ સાંસદ સંજય રાઉતે આ સમાચારોને સંપૂર્ણપણે અફવા ગણાવીને નકારી કાઢ્યા છે. રાઉતે દાવો કર્યો કે તેઓ આખી બેઠકમાં રૂબરૂ હાજર હતા અને ઉદ્ધવ ઠાકરેએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. સંજય રાઉતે પક્ષની અંદર કોઈ પણ પ્રકારના મતભેદ કે તૂટની અટકળોને ફગાવતા સ્પષ્ટ કર્યું કે શિવસેના (UBT) ના તમામ 9 સાંસદો સંપૂર્ણપણે એકજૂથ છે. સાંસદ સંજય દેશમુખ અને શિવસેના મંત્રી પ્રતાપરાવ જાધવ વચ્ચે થયેલી મુલાકાત પર સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું મંત્રીઓને મળવું સામાન્ય બાબત છે. જો મારે ભવિષ્યમાં કોઈ કામ હશે તો હું પણ દેશના વડાપ્રધાનને મળીશ. આવી જનહિતની મુલાકાતોને ખોટો રાજકીય રંગ આપવો જોઈએ નહીં. તેમણે ઉમેર્યું કે શરદ પવાર બાદ ઉદ્ધવ ઠાકરે જ એકમાત્ર એવા નેતા છે જેમના 'માતોશ્રી' ના દરવાજા સામાન્ય કાર્યકર્તાઓ માટે હંમેશા ખુલ્લા રહે છે.

'ઓપરેશન ટાઈગર' પર શિંદે જૂથનો મોટો દાવો

ઉદ્ધવ જૂથના આ દાવાઓથી વિપરિત, મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓ 'ઓપરેશન ટાઈગર' ને લઈને ભારે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી પ્રતાપ સરનાઈકે દાવો કર્યો છે કે ઓપરેશન ટાઈગર એ કોઈ વન-ટાઇમ પોલિટિકલ સ્ટંટ નથી, પરંતુ તે આખું વર્ષ ચાલતી એક સદંતર પ્રક્રિયા છે. જે નેતાઓ પોતાના પક્ષમાં ઉપેક્ષિત અનુભવે છે, તેઓ એકનાથ શિંદેની વિચારધારાથી પ્રભાવિત થઈને અમારી સાથે જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચો- ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ, NEET પુનઃપરીક્ષા પહેલાં કેન્દ્ર સરકારનું મોટું પગલું

આ વિવાદને વધુ હવા આપતા શિવસેના ધારાસભ્ય કૃપાલ તુમાનેએ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. તુમાનેના જણાવ્યા મુજબ, ઉદ્ધવ જૂથના 9 માંથી 7 સાંસદો અને આશરે 16 ધારાસભ્યો હાલમાં સીએમ એકનાથ શિંદેના સીધા સંપર્કમાં છે અને તેઓ મહારાષ્ટ્રના વિકાસ કાર્યો માટે ટૂંક સમયમાં જ શિંદે જૂથ સાથે કામ કરવાના નિર્ણયો લઈ શકે છે. આ પરસ્પર વિરોધી દાવાઓને કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્રનું રાજકારણ વધુ ગરમાય તેવી પૂરી સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MaharashtraPolitics OperationTiger UddhavThackeray
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ