બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમતી વખતે મોબાઈલ મચડતા લોકો સુધરી જજો! આ ખતરનાક બીમારીઓના બનશો શિકાર
Last Updated: 11:14 PM, 15 June 2025
આજકાલ લોકોને જમતી વખતે મોબાઈલમાં રીલ્સ કે વીડિયો જોવાની આદત હોય છે. ઘણા લોકો મોબાઈલમાં જોયા વગર જમી પણ શકતા નથી. આ એક ખરાબ આદત શરીર અને સ્વાસ્થ્ય માટે સારી નથી. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો તમે જમતી વખતે મોબાઈલ જુઓ છો તો માત્ર તમારું ધ્યાન નથી ભટકતું પરંતુ તેનાથી બ્લડ સુગરમાં પણ વધારો થાય છે.
ADVERTISEMENT

મોબાઈલમાં મશગૂલ રહેવાથી જમવામાં નથી રહેતું ધ્યાન
ADVERTISEMENT
તમે જમતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને ખબર નથી પડતી કે કેટલું અને કેવું જમીએ છીએ. આવું કરવાથી લોકો ઉતાવળમાં પ્રોસેસ્ડ ફૂડ અને ઓછા પૌષ્ટિક ખોરાક ખાય છે. તેનાથી સુગર લેવલ ઝડપથી વધે છે. આવું વારંવાર થવાથી ઈન્સ્યુલિન રેસિસટેન્ટનું જોખમ વધી જાય છે. નિષ્ણાંતોના મત મુજબ જો જમતી વખતે પૂરેપુર ધ્યાન ન હોય તો વધારે જમી લઈએ છીએ અને તેના કારણે વજનમાં પણ વધારો થાય છે. તેના કારણે મેટાબોલિક હેલ્થ પર પણ ખતરનાક અસર થાય છે.

ADVERTISEMENT
સુગર લેવલ પર અસર
ખોરાકમાં રહેલા કાર્બોહાઈડ્રેટસ જેમ કે વ્હાઈટ બ્રેડ, પાસ્તા, સુગરની ભરપૂર માત્રા વાળા કોલ્ડ ડ્રિંક્સ જલ્દી પચે છે જેનાથી બ્લડ સુગર પણ ઝડપથી વધી જાય છે. આજે લોકો દાળ-ભાત, શાક, રોટલી ખાવા કરતા કાર્બોહાઈડ્રેટસથી ભરેલા ખોરાક જેમ કે કોલ્ડ ડ્રિંક્સ લેવાનું વધારે પસંદ કરે છે. જેનાથી બ્લડ સુગરમાં વધારો થાય છે. આ સાથે ફાઈબરથી ભરપૂર ખોરાક અને લીલા શાકભાજી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરનારા સાવધાન, થઇ શકો છો મોટી બીમારીનો શિકાર
બ્લડ સુગર અને વજનને કંટ્રોલમાં કેવી રીતે લાવી શકાય?
ADVERTISEMENT
મોબાઈલ વગર જમવું એક સારી આદત છે. જેથી લોકો જમતી વખતે પૂરેપૂરું ધ્યાન આપી શકે છે. કેટલું જમ્યું અને કેવું જમ્યું, પેટ ભરાઈ ગયું કે નહી તેની ખબર રહે છે. આ આદત બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે નિયમીત રીતે વ્યાયામ કરવાથી પણ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખી શકાય છે. વ્યાયામ કરવાથી બ્લડ શરીરના તમામ સેલ્સ સુધી પહોંચે છે અને બ્લડ સુગર જમા થતું અટકી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.