બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / અપનાવો આ 4 આયુર્વેદિક ઉપાયો, કિડનીની પથરી મૂળમાંથી દૂર થઈ જશે!

હેલ્થ / અપનાવો આ 4 આયુર્વેદિક ઉપાયો, કિડનીની પથરી મૂળમાંથી દૂર થઈ જશે!

Last Updated: 03:51 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિડનીમાં બનેલી પથરીને સંપૂર્ણ રીતે સાફ કરવા માટે આયુર્વેદમાં કેટલીક અસરકારક દેશી રીતો જણાવવામાં આવી છે. આ ઉપાયો સર્જરી વગર પથરીને ઓગાળી અને કુદરતી રીતે બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.

આજકાલ ખોટી ખાવા-પીવાની આદતોને કારણે કિડનીમાં પથરી થવું સામાન્ય સમસ્યા બની ગઈ છે. તેનું સૌથી મોટું કારણ ઓછું પાણી પીવું છે. આ ઉપરાંત શરીરમાં કેલ્શિયમ, યુરિક એસિડ અથવા ઓક્સલેટ જેવી વસ્તુઓ વધી જાય ત્યારે તે મળીને પથરી બનાવી દે છે.

પરંતુ ચિંતાની કોઈ વાત નથી. આયુર્વેદમાં કેટલીક એવી દેશી જડીબુટ્ટીઓ અને ઘરગથ્થું ઉપાય દર્શાવ્યાં છે, જે પથરીને સર્જરી વગર ધીમે ધીમે ઓગાળી અને શરીરમાંથી બહાર કાઢી શકે છે. આવો, જાણીએ આ સરળ અને અસરકારક ઉપાયો વિશે.

કિડની સ્ટોનના લક્ષણો

  • કિડનીમાં પથરી થવાથી શરીર અનેક પ્રકારના સંકેતો આપતું હોય છે.
  • મુત્રવિસર્જન દરમિયાન તીવ્ર બળતરા અને દુખાવો
  • ઉબકા અને ઉલટી
  • પેશાબમાં લોહી આવવું
  • વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થવી પણ પેશાબ ન થવું

આયુર્વેદિક જડીબુટીઓ જે રાહત આપી શકે છે

  • પથ્થરચટ્ટા

આ છોડમાં પથરી તોડવાની શક્તિ હોય છે. તેના 3 થી 4 પત્તા પીસીને સવારે ખાલી પેટ સેવન કરવાથી પથરી ઓગળવા લાગે છે. તે યૂરિનરી ટ્રેક્ટને પણ સાફ કરે છે અને સોજો ઓછો કરે છે.

  • કુલ્થી દાળ

કુલ્થિ દાળ કિડની સ્ટોન માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. તેને રાતભર પલાળી રાખવી અને સવારે તેનું પાણી ખાલી પેટ પીવું. ઇચ્છો તો તેનું સૂપ બનાવીને પણ લઈ શકાય છે. આ દાળ પેશાબ સાફ કરવામાં અને પથરી બહાર કાઢવામાં મદદ કરે છે.

kidney stone
  • તુલસી

તુલસી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેના ઔષધીય ગુણ પણ અગણિત છે. તુલસીના 5 થી 7 તાજા પાંદડાં દરરોજ સવારે ચાવીને ખાવાથી કિડનીને શક્તિ મળે છે અને પથરી બહાર કાઢવામાં સહાય મળે છે. તેનાથી દુખાવા અને સોજામાં પણ રાહત મળે છે.

  • ગોખરુ

ગોખરુ એક પરંપરાગત આયુર્વેદિક ઔષધિ છે, જે પેશાબ સંબંધિત સમસ્યાઓ અને પથરીથી રાહત અપાવવામાં અસરકારક માનવામાં આવે છે. 1 થી 2 ચમચી ગોખરુને એક કપ પાણીમાં ઉકાળી તેને અડધું રહે ત્યાં સુધી ગરમ કરો. ઠંડુ કરીને દરરોજ તેનું સેવન કરો. તેનાથી પથરી નાના નાના ટુકડાઓમાં તૂટીને બહાર નીકળવા લાગે છે.

વધુ વાંચો: હાર્ટ એટેકના શરૂઆતના લક્ષણો શું છે? જાણો હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayurvedic remedies health kidney stones
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ