બ્રેકિંગ ન્યુઝ
VTV / know things about sukanya samridhi yojna
Last Updated: 12:31 PM, 31 March 2021
ADVERTISEMENT

આ ખાસ યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને તેમના લગ્નને લઇને બનવવામાં આવી હતી. જેના હેઠળ તમે દર વર્ષે પોતાની દીકરી માટે 500 રૂપિયાથી 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. હાલનુ નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ સમાપ્ત થાય છે. જો તમે પણ પોતાની દીકરીના ખાતામાં રાશિ જમા નથી કરાવી તો તેના માટે તમારે પેનલ્ટી ચૂકવવી પડશે. વધારે સમય સુધી તમે પૈસા નહી ભરો તો તમારુ ખાતુ બંધ પણ થઇ શકે છે.
ADVERTISEMENT
નિયમ અનુસાર ખાતાને ચાલુ રાખવા માટે વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા તમારે જમા કરવા જરૂરી છે. આ રકમ પણ જમા ન કરવામાં આવે તો તેને ડિફોલ્ટ ખાતુ માનવામાં આવે છે અને બાદમાં તે ઇનએક્ટિવ થઇ જાય છે. જે બાદ તમારે તેને એક્ટિવ કરાવવા માટે બેન્ક કે પોસ્ટ ઓફિસના ધક્કા ખાવા પડશે.
કેવી રીતે એક્ટિવ કરશો ખાતુ
પોસ્ટ ઓફિસની વૅબસાઇટ પર આપેલી જાણકારી અનુસાર તમારી દીકરીનું સુકન્યા ખાતુ બંધ થઇ જાય તો પોતાની પોસ્ટ ઓફીસની બ્રાંચમાં જવુ પડશે અને ત્યાં જઇને ફરીથી ખાતુ ખોલાવવુ પડશે. સાથે જ પેનલ્ટી પણ ચૂકવવી પડશે.
ADVERTISEMENT

250 રૂપિયામાં ખોલાવો ખાતુ
આ સ્કીમ એક પોસ્ટ ઓફીસ આધારીત સ્કીમ છે. એટલે કે તમે દેશમાં કોઇ પણ જગ્યાએ આવેલી પોસ્ટ ઓફીસમાંથી ખોલાવી શકો છો. ખાસ વાત તે છે કે તમારે ઓછામાં ઓછા 250 રૂપિયા ભરવા પડશે. 21 વર્ષ સુધી તમારે આ રાશિ ભરવી પડશે.
ADVERTISEMENT
જરૂરી દસ્તાવેજ
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ કે નજીકની બેન્કમાં પોતાની દીકરીનુ બર્થ સર્ટીફીકેટ પણ જમા કરાવવુ પડશે. સાથે જ બાળકી અને માતા પિતાનુ ઓળખાણ પત્ર જેમ કે પાન કાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વેગેરે. જ્યાં રહેઠાણ છે તે જગ્યાનુ પ્રમાણપત્ર જેમકે પાસપોર્ટ, વીજળીનુ બિલ વગેરે જમા કરાવવુ પડશે.
નિયમ અને શરતો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.