વાયરલ ફીવર હોય ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં સ્વાસ્થ્યવર્ધક છે શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે.
આપણા દરેકના ઘરમાં તુલસીનો છોડ હોય જ છે. તુલસીનું આર્યુવેદિક મહત્વ પણ ઘણું છે. સાત્વિકની સાથે આરોગ્યને લગતા પણ અનેક ફાયદા તુલસીથી મળે છે. ખાસ કરીને વાયરલ તાવમાં કે ઇન્ફેક્શનમાં તુલસીની ચા, તુલસીનો ઉકાળો કે તુલસીના પાનને ચાવવાનું મહત્વ વધારે રહે છે. શરદી અને ઉધરસમાં તુલસી અસરકારક સાબિત થાય છે. તો આવો આજે જાણીએ સરળ રીતે તુલસીનો ઉકાળો બનાવવાની રીત.
તુલસીનો ઉકાળો
સામગ્રી
10 તુલસીના પાન
શક્ય હોય તો લીલી ચા
1 ઈંચ આદુ વાટેલું
4 કપ પાણી
3 ચમચી ગોળ
રીત
પહેલા તુલસીના પાન અને લેમનગ્રાસને સારી રીતે ધોઈ લો. એક પેનમાં પાણી નાંખી ધીમા તાપે તેને ઉકાળી લો. જ્યારે તે થોડું ગરમ થાય ત્યારે તેમાં તુલસીના પાન, લીલી ચા અને આદુ નાંખી દો અને પછી તેને 5 મિનિટ સુધી ઉકળવા દો. ઉકળી જાય ત્યારે ગેસ બંઝ કરો અને તેમાં ગોળ મિક્સ કરી લો. આ મિશ્રણને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ તેમાં સારી રીતે ઓગળી જાય. હવે આ ઉકાળાને 2 મિનિટ ઠંડો થવા દો. પછી તેને કપમાં ગાળી લો અને શક્ય તેટલું ગરમ પીવાનો આગ્રહ રાખો.
(નોંધ - તુલસીના આ ઉકાળામાં તમે સ્વાદ પ્રમાણે લીંબુ અને અન્ય મસાલા જેમકે મરી, તજ વગેરે પણ ઉમેરી શકો છો.)
તુલસીનો ઉકાળો પીવાના ફાયદા
- તુલસીનો ઉકાળો બદલાતી સિઝનમાં થતી શરદી-તાવ અને ગળાની ખારાશથી છુટકારો આપે છે.
- તુલસીના પાનના ઉકાળામાં ચપટી સંચળ નાંખીને પીવાથી ફ્લૂ રોગ મટે છે.
- પથરી કાઢવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ઉકાળામાં રોજ 1 ચમચી મધ ઉમેરીને 6 મહિના સુધી સેવન કરો.
- હાર્ટની બીમારી હોય તેઓએ રોજ તુલસીનું સેવન જરૂર કરવું. તુલસી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. તુલસી અને હળદરના પાણીનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા નિયંત્રિત રહે છે.
- ચહેરાની ચમક અને રંગત કાયમ રાખવા તુલસીના પાનનો રસ કાઢીને બરાબર માત્રામાં લીંબૂનો રસ મિક્સ કરીને રાત્રે ચહેરા પર લગાવી લો. કરચલીઓ દૂર થશે અને ખીલ પણ નહીં થાય.
- ક્રોનિક-માઈગ્રેનની તકલીફમાં પણ તુલસીનો ઉકાળો પીવાથી રાહત મળે છે.
- રોજ 4-5 વાર તુલસીના 6-7 પાન ચાવવાથી માઈગ્રેનની સમસ્યામાં આરામ મળી શકે છે.