બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પતંગ રસિકોને મોજ! જોરદાર પવન સાથે વરસાદની શક્યતા નહીંવત, પરેશ ગોસ્વામીની આગાહી
Last Updated: 05:13 PM, 12 January 2025
ઉત્તરાયણનાં દિવસે પતંગ રસિયાઓને ખુશ કરે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. 14 જાન્યુઆરીએ પવનની ગતિ-દિશા ખૂબ અનુકુળ રહેશે તેમજ રાજ્યમાં 14 જાન્યુઆરીએ આકાશ ખુલ્લુ રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી રહવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
મકરસંક્રાતિ પર્વ પર પતંગ માટે અનુકુળ પવન રહેશે
રાજ્યમાં પતંગરસિકો માટે સારા સમાચાર છે કે, મકરસંક્રાતિ પર્વ પર પતંગ માટે અનુકુળ પવન રહેશે અને તાપમાન સામાન્ય રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં 20થી 22 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ જોવા મળશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: MS યુનિવર્સિટી જાતીય સતામણી કેસ, પીડિતાની મિત્ર-પ્રોફેસરની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ
ADVERTISEMENT
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, સુરતમાં વધારે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનાં દિવસે ભારે પવન જોવા મળશે. 14 થી 16 જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરાયણની સવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.