બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નરભક્ષી બની રહ્યા છે સિંહ, છેલ્લા દોઢ મહિનામાં 6 હુમલા, જાણો ક્યાં-ક્યાં બની ઘટના
8 ફોટો ગેલેરી
Last Updated: 05:25 PM, 11 July 2026
1/8
સાસણ ગીરના જંગલમાં એશિયાટિક સિંહોને જોવા માટે લોકો જતા હોય છે. પરંતું ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાસણ ગીર આગામી તા. 15 ઓક્ટોમ્બર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રહેશે. ચોમાસુ પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ સફારી શરૂ કરવામાં આવશે.
2/8
16 જૂનના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક મૂળ ઉત્તરાખંડના પિથૌરાઢનાં વતની પ્રકાશ ચંદ્ર જેઓ એક સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા અને ગામની બહાર આવેલ એક રેસ્ટોરન્ટમાં રહેતો હતો. જેઆ રાત્રે કામ પુરૂ કરી પોતાના વતન જવા નીકળ્યા હતા. તે દરમ્યાન કોવાયા ગામ નજીક સિંહે અચાનક તેઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. હિંસક સિંહ તેમનું આખું શરીર ખાઈ ગયો હતો. ઘટના સ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા.
3/8
17 જૂનનાં રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બીજી ઘટના બનવા પામી હતી. જેમાં મહુવા નજીક એક શ્રમિક નાગજી પ્રેમજીભાઈ રાત્રીના સુમારે બાઈક પર પસાર થઈ રહ્યા હતો. તે દરમ્યાન પીંગલેશ્વર મહાદેવ નજીક બાઈક બંધ પડી જતા તેઓ બાઈક દોરીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક બાવળની ઝાડીમાં સંતાઈને બેઠેલ સિંહે નાગજીભાઈ પર હુમલો કરી તેઓને ફાડી ખાધા હતા.
4/8
25 જૂનનાં રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માણાવાવ ગામે શ્રમિક પરિવાર ખેતમજૂરી કરી રહ્યો હતો.તે દરમ્યાન અચાનક એક સિંહણે શ્રમિકના 5 વર્ષના બાળક ધવલ ઈશ્વરભાઈ કટારા પર હુમલો કર્યો હતો. સિંહણ બાળકને મોઢામાં દબાવીને દૂર સુધી ઢસડી ગઈ હતી. આ સમગ્ર બાબતની જાણ પરિવારજનોને થતા પરિવાર બૂમાબૂમ કરી સિંહણ પાછળ દોડતા સિંહણ બાળકને લોહીલુહાણ હાલતમાં છોડી નાસી છૂટ્યો હતો.
5/8
6 જુલાઈના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામમાં સિંહણના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સિંહણે હુમલો કરતા એક પશુપાલક કાળુભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હુમલા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સિંહ યુવકનો પગ પકડીને બેઠો હોય તેવું જોવા મળી રહ્યું છે.
6/8
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટની સીમા વિસ્તારમાં સિંહના હુમલામાં 21 વર્ષીય સોહીલ મેમણનું કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાઈ છે.પ્રાથમિક માહિતી અનુસાર, સિંહ-સિંહણના મેટિંગ પિરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહ દર્શન કરવા માટે જંગલની નજીક પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક સિંહોએ હુમલો કર્યો હતો. હુમલામાં સોહીલ મેમણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સિંહ તેમને જંગલની અંદર સુધી ખેંચી લઈ ગયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
7/8
મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનાર યાત્રા માટે આવ્યો હતો. વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યાના સમયે પરિવાર ગિરનારની સીડીઓ ચઢી રહ્યો હતો. તે દરમિયાન લગભગ 50મા પગથિયાંની આસપાસ 11 વર્ષનો મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના કાકા સાથે આગળ વધી રહ્યો હતો. અચાનક અંધારામાંથી એક સિંહ બહાર આવ્યો અને કિશોર પર હુમલો કરીને તેને મોઢામાં પકડી જંગલ તરફ ખેંચી ગયો. સમગ્ર ઘટના એટલી ઝડપથી બની કે પરિવારજનો બાળકને બચાવી શક્યા નહોતા.
8/8
વર્ષ 2025 માં સિંહોની થયેલી વસ્તી ગણતરી પર નજર કરીએ તો નર સિંહોની સંખ્યા 196, માદાની સિંખ્યા 330, પાઠડા 140, બચ્ચા 225 કુલ 891 સિંહ નોંધાવા પામ્યા છે. ગીર પશ્ચિમ રેન્જની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં સિંહોમાં બેબેસિયા અને સીવીડી વાયરસની આશંકા વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો હતો. આ રોગના કારણે અંદાજે 12 સિંહના મોત થયા હતા.છેલ્લા 10 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32.19% જેવો વધારો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ