બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફ્રી પીરિયડમાં છોકરો બારીની બહાર જોતો હતો, બસ આ કારણથી ટીચરે માર્યો, વાલીના ગંભીર આક્ષેપ
Last Updated: 02:36 PM, 11 July 2026
Chandkheda Earth School : અમદાવાદમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના વર્તનને લઈને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલી અર્થ સ્કૂલ (Earth School)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષકે ફૂટપટ્ટીથી માર માર્યાનો ગંભીર આક્ષેપ વાલીએ કર્યો છે. વાલીઓના જણાવ્યા અનુસાર, ફ્રી પિરિયડ દરમિયાન વિદ્યાર્થી બારીની બહાર જોઈ રહ્યો હતો, ત્યારે શિક્ષકે તેને ફૂટપટ્ટીથી માર માર્યો હતો. મારના કારણે બાળકના હાથ પર ઇજાના નિશાન હજુ પણ જોવા મળી રહ્યા છે. ઘટનાના પગલે બાળક એટલો ગભરાઈ ગયો છે કે હવે સ્કૂલે જવા પણ તૈયાર નથી.
ADVERTISEMENT
વિદ્યાર્થીના પિતા વિરલ પરમારે જણાવ્યું કે, 9 જુલાઈના રોજ ક્લાસ ટીચરનો ફોન આવ્યો હતો અને પ્રિન્સિપલને મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. સ્કૂલ પહોંચતા પ્રિન્સિપલે જણાવ્યું હતું કે વિદ્યાર્થી ચાલુ પિરિયડમાં ક્લાસની બહાર ફરતો હતો. તેમણે પોતાની ભૂલ સ્વીકારીને બાળકને સમજાવવાની ખાતરી આપી હતી. તેમ છતાં પ્રિન્સિપલે કડક વલણ અપનાવી વિદ્યાર્થીને સ્કૂલમાંથી એલસી આપી કાઢી મૂકવાની ધમકી આપી હતી. બાળકના વાલી વિરલ પરમારનો આક્ષેપ છે કે, પ્રિન્સિપલે વિદ્યાર્થીને તેમની હાજરીમાં જ અપમાનિત કર્યો હતો. વિદ્યાર્થી પ્રિન્સિપલની ઓફિસમાં સીધો પ્રવેશતા તેને ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ બાળક માનસિક રીતે ભાંગી પડ્યો હતો.
ADVERTISEMENT
વિરલ પરમારના જણાવ્યા મુજબ, બીજા દિવસે સવારે વિદ્યાર્થી નિયમિત રીતે સ્કૂલે ગયો હતો. બાદમાં અન્ય વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસેથી જાણ થઈ કે ફ્રી પિરિયડ દરમિયાન બારીની બહાર જોતો હોવાથી શિક્ષકે ફૂટપટ્ટીથી તેના હાથ પર માર માર્યો હતો.
ADVERTISEMENT
વાલીએ કહ્યું કે, "સવારે 8 વાગ્યે માર પડ્યો હતો, છતાં બીજા દિવસે પણ હાથ પર ઇજાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જો એક વિદ્યાર્થી ફ્રી પિરિયડમાં ફર્યો હોય તો તેના માટે એલસીની વાત કરવામાં આવે છે, પરંતુ શિક્ષક દ્વારા આ પ્રકારની મારપીટ માટે શું કાર્યવાહી થશે?"
ADVERTISEMENT
ઘટના બાદ બાળક ભારે માનસિક તણાવમાં હોવાનું વિરલ પરમારે જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, બાળક હવે સ્કૂલે જવાનું નામ પણ લેતો નથી. તેમના કહેવા પ્રમાણે,"અમે તેને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તે એટલો ડરી ગયો છે કે સ્કૂલમાં જવા તૈયાર નથી. સતત ઠપકો અને મારના કારણે તેના મનમાં સ્કૂલનો ભય બેસી ગયો છે."
ADVERTISEMENT
આ પણ વાંચો : રામોલની જીવન જ્યોત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, કારણ જાણીને ચોંકી જશો
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાને લઈને વાલીઓએ સ્કૂલના સંચાલન અને શિક્ષકોના વર્તન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓમાં શિસ્ત જાળવવાના નામે શારીરિક સજા આપવી અને માનસિક દબાણ ઊભું કરવું યોગ્ય નથી. હવે સમગ્ર મામલે શાળા સંચાલન શું કાર્યવાહી કરે છે અને શિક્ષણ વિભાગ આ ઘટનામાં કોઈ તપાસ હાથ ધરે છે કે નહીં તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.