બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલનો કોરોનાકાળમાં પણ મોટો કાંડ! હોસ્પિટલ ભાડે રાખી રળ્યો કરોડો રૂપિયાનો નફો
Last Updated: 11:03 PM, 14 December 2024
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ મુદ્દે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. જેમાં ક્રાઇમબ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં હોસ્પિટલે કોરોના સમયમાં કરોડો રૂપિયાનો નફો મેળવ્યો હોવાનું ખુલ્યું છે. આ ઘટનામાં કાર્તિક પટેલ, સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત અને પ્રદીપ કોઠારીએ કરોડોનો નફો રળ્યો હતો. 2020ના વર્ષમાં દરેકના ભાગે દોઢ કરોડ નફો આવ્યો હતો.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ મહિનાના 16 લાખના ભાડે કોરોના સમયમાં હોસ્પિટલ રાખી હતી. જેમાં 2021માં હોસ્પિટલમાં પ્રદીપ કોઠારીએ રાજીનામુ આપીને પત્ની રાજશ્રીને ડાયરેક્ટર બનાવી હતી. ત્યારે આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા વિવિધ વિગતો સામે આવી છે. ત્યારે પોલીસ કોરોનામાં કોઈ કાંડ કર્યું છે કે નહીં તે મુદ્દે પણ તપાસ આદરી છે.
ADVERTISEMENT

વધુ વાંચો : પતિની પ્રેમિકા કે રોમેન્ટિક પાર્ટનરને આરોપી ન બનાવી શકાય- સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
ADVERTISEMENT
ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલ કાંડથી ડાયરેક્ટર રાજશ્રીએ પોલીસથી બચવા 100થી વધુ સીમકાર્ડ બદલ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે જુદા-જુદા કોલના લોકેશનના આધારે આરોપીને ઝડપ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.