બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Kharmas 2023 know why auspicious work and marriage in kharmas are stopped

ખરમાસ 2023 / કમુરતા કયારથી બેસે છે? કેમ કોઈ શુભ કાર્ય આ મહિનામાં થતાં નથી? હવે લગ્નના મુહૂર્ત કયારથી, એક ક્લિકમાં જાણો વિગત

Arohi

Last Updated: 10:07 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kharmas 2023: હિંદૂ ધર્મમાં ખરમાસ વખતે એક મહિના સુધી કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય નથી કરવામાં આવતા. આ સમયે લગ્નો પણ નથી કરવામાં આવતા. જાણો તેના પાછળ શું છે કારણ.

  • હિંદૂ ધર્મમાં ગ્રહોનું ખાસ મહત્વ 
  • જાણો કમુરતા કયારથી બેસે છે? 
  • એક ક્લિકમાં જાણો શુભ મુહૂર્ત 

હિંદૂ ધર્મમાં ગ્રહોનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે એવામાં જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવ મીન કે ધન રાશિમાં પ્રવેશ કરે છે તો પંચાંગ અનુસાર તેને ખરમાસની શરૂઆત માનવામાં આવે છે. ખરમાસમાં શુભ અને માંગલિક કાર્યો નથી કરવામાં આવતા. 

એવી પણ માન્યતા છે કે દેવશયની એકાદશીના આવતા જ ચાતુર્માસની શરૂઆત થઈ જાય છે. જેમાં કોઈ પણ શુભ કાર્ય નથી કરવામાં આવતા. ત્યાર બાદ દેવ ઉઠની એકાદશી બાદથી જ શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. 

હિંદૂ પંચાંગ અનુસાર સૂર્યદેવ આ વર્ષે ગુરૂવાર 16 ડિસેમ્બર 2023ની બપોર 3.47 મિનિટથી ધન રાશિમાં પ્રવેશ કરવાના છે. જેની સાથે જ ખરમાસની શરૂઆત થઈ જશે. ખરમાસ આખા એક મહિનો રહીના બાદ 15 જાન્યુઆરી 2024એ પૂર્ણ થશે. ખરમાસમાં કોઈ પણ શુભ કાર્ય જેવા કે લગ્ન વિવાહ, ગ્રહ પ્રવેશ, મુંડન અને ઘર બનાવવું વગેરે જેવા કાર્ય નથી કરવામાં આવતા. 

ક્યારે છે લગ્નના શુભ મુહૂર્ત? 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષમાં બે વખત ખરમાસ આવે છે. જેવા સૂર્યદેવ બૃહસ્પતિની રાશિ મીન કે ધનમાં પ્રવેશ કરી લે છે ત્યારથી જ ખરમાસ લાગી જાય છે. ખરમાસ વખતે તમે કોઈ પણ શુભ કાર્ય ન કરો. જાન્યુઆરીમાં વિવાહના શુભ મૂહૂર્ત 18, 20, 21, 22, 27, 28, 30 અને 31 જાન્યુઆરી છે. ફેબ્રુઆરીમાં શુભ મૂહૂર્ત 1, 3, 4, 5, 6, 7, 8, 12, 13, 18, 19, 24, 25, 26 અને 27એ છે. 

જ્યોતિષમાં શુભ અશુભ મુહૂર્તો અને ગ્રહ નક્ષત્રોની સ્થિતિનું ખાસ મહત્વ હોય છે. માટે કોઈ પણ શુભ કાર્ય કે નવી શરૂઆત કરતા પહેલા ઉત્તમ મુહૂર્ત મળવું પણ ખૂબ જ જરૂરી છે. 

ખરમાસમાં કેમ નથી થતા લગ્ન? 
16 ડિસેમ્બર એટલે કે શુક્રવારે ખરમાસ શરૂ થવા જઈ રહ્યો છે. માન્યતા અનુસાર જ્યારે ખરમાસમાં કોઈના લગ્ન થાય છે તો તેના લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. પારિવારિક કલેશ વધી શકે છે અને પતિ-પત્નીના સંબંધમાં તણાવ આવી શકે છે. તેજ માન્યતાઓને જોઈને ખરમાસમાં લગ્ન નથી કરવામાં આવતા. 

કહેવાય છે કે ભગવાન ભાસ્કરની પૂજા અને ઉપાસના કરવાથી સાધકને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી દરેક પાપોનો નાશ થાય છે. સાથે જ ઘરમાં યશ-વૈભવ અને આગમન થાય છે. આ આખા મહિનામાં ગૌ માતા, ગુરૂદેવ અને સાધુઓની સેવા કરવી જોઈએ. નિયમિત રીતે ભગવાન ભાસ્કરને લાલ રંગ યુક્ત જળનું આર્ધ્ય આપો અને ગરીબોને પોતાના સામર્થ્ય અનુસાર દાન જરૂર કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Kharmas 2023 Marriage ખરમાસ 2023 હિંદૂ ધર્મ Kharmas 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ