કોરોના મહામારીની વચ્ચે દેશમાં ઝીકા વાયરસે દસ્તક દીધી છે. સૌ પ્રથમ વાર કેરળમાં ગુરુવારે ઝીકા વાયરસના 13 કેસ નોંધાયા છે.
કોરોના મહામારીની વચ્ચે દેશમાં ઝીકા વાયરસે દસ્તક દીધી
સૌ પ્રથમ વાર કેરળમાં ગુરુવારે 13 કેસ નોંધાયા
સામાન્ય લોકો માટે ઘાતક નહીં પણ ગર્ભવતી મહિલાઓ માટે ચિંતાજનક
તિરુવનંતપુરમ જિલ્લામાંથી લેવામાં આવેલા કેટલાક સેમ્પલોને તપાસ અર્થે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવ્યાં હતા. લેબમાં સેમ્પલોની તપાસમાં 11 સેમ્પલો ઝીકા વાયરસ પોઝિટીવ નીકળ્યાં હતા.
કેવી રીતે ફેલાય છે ઝીકા વાયરસ
ઝીકા વાયરસ મચ્છરો કરડવાથી ફેલાય છે જે દિવસના સમયમાં વધારે સક્રિય રહેતા હોય છે. પહેલી વાર 1947 માં યુગાન્ડામાં વાંદરાઓમાં આ વાયરસ જોવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1952 માં ટાન્ઝાનિયામાં ફેલાયો હતો.
ઝીકા વાયરસ શરીરમાં દાખલ થયાના 3 થી 4 દિવસમાં લક્ષણો દેખાય છે. જોકે કેટલાક લોકોમાં લક્ષણો દેખાતા પણ નથી. તિરુવનંતપુરમ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે ઝીકા વાયરસ ઘાતક નથી તેથી ચિંતાનો કોઈ વિષય નથી. જે મહિલામાં ઝીકા પોઝિટીવ નીકળી છે તેની સારવાર ચાલી રહી છે અને તેને તબિયત સારી છે.
ઝીકા વાયરસથી બચવા શું કરવું
હાલના સમયે ઝીકા વાયરસની કોઈ એન્ટીવાયરસ ટ્રીટમેન્ટ કે વેક્સિન ઉપલબ્ધ નથી. તેથી ઝીકા વાયરસથી બચવાનો સૌથી સારો ઉપાય દિવસના સમયમાં મચ્છરો ન કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
કોના માટે ઘાતક
સામાન્ય લોકો માટે ઝીકા વાયરસ ઘાતક નથી પરંતુ ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આ વાયરસ ઘાતક નીવડી શકે છે. ગર્ભવતી મહિલાઓ દ્વારા આ વાયરસ નવજાતમાં ફેલાય છે અને તેને કારણે બાળકો ખોડખાંપણ વાળા જન્મે છે.