બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / KBC 11 Sonakshi Sinha trolled for not knowing the answer to a question on Ramayana

બોલિવૂડ / KBCમાં આ સરળ સવાલનો જવાબ ન આપી શકી સોનાક્ષી, સોશ્યિલ મીડિયા પર થઈ ટ્રોલ

Published By: Bhushita

Last Updated: 11:35 AM, 21 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાક્ષી સિન્હાને બોલિવૂડની જાણીતી અભિનેત્રી ગણવામાં આવે છે. સોનાક્ષી તેના બોલ્ડ રોલ્સ અને મોટા મોટા એક્ટર્સની સાથે હિટ ફિલ્મો આપવા માટે જાણીતી છે. બ્લોકબસ્ટર ફિલ્મ મિશન મંગલમાં કામ કરી ચૂકેલી સોનાક્ષી ફેન્સની ફેવરિટ છે.પરંતુ સોનાક્ષી KBCમાં રામાયણના સરળ સવાલનો જવાબ ન આપી શકી ત્યારે ફેન્સ રોષે ભરાયા.

  • સોનાક્ષીએ KBCમાં ન આપ્યો આ સરળ સવાલનો જવાબ
  • સોનાક્ષી રામાયણને લગતા સવાલનો જવાબ આપવામાં રહી નિષ્ફળ
  • સોશ્યિલ મીડિયા પર ફેન્સ કરી રહ્યા છે ટ્રોલ
  • અમિતાભ બચ્ચને પણ અનુભવ્યુ આશ્ચર્ય

સોનાક્ષી સિન્હાએ અમિતાભ બચ્ચનના શો 'કૌન બનેગા કરોડપતિ'માં ભાગ લીધો. જો તમે આ શોને ફોલો કરો છો તો તમને ખ્યાલ હશે કે આ શોમાં દર શુક્રવારે સ્પેશ્યિલ એપિસોડ આવે છે. જેને KBC કરમવીરના નામે ઓળખવામાં આવે છે. આ શોની સ્પેશ્યિલ કંટેસ્ટન્ટ હતી રાજસ્થાનની રૂમા દેવી.

રૂમાદેવીથી પ્રભાવિત થઈ સોનાક્ષી

રૂમા 22 હજાર મહિલાઓને સ્કિલ ટ્રેનિંગ આપી ચૂકી છે. રૂમા દેવીને 2018માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ એવોર્ડથી સન્માનિત કર્યા. અન્ય લોકોની જેમ સોનાક્ષી સિન્હા પણ રૂમા દેવીના કામથી પ્રભાવિત થઈ અને સાથે તેઓએ રૂમા દેવીના પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસડર બનવાનું નક્કી કર્યું. સોનાક્ષી રૂમાની મદદ માટે કેબીસીમાં તેમની સાથે આવી. 

આ સવાલનો સોનાક્ષી ન આપી શકી જવાબ

શો પર એક સવાલનો જવાબ ન આપવા માટે સોનાક્ષીને ટ્રોલ કરવામાં આવી. અમિતાભ બચ્ચને તેમને સવાલ પૂછ્યો કે રામાયણ અનુસાર હનુમાન કોને માટે સંજીવની બુટ્ટી લાવ્યા હતા?

A. સુગ્રીવ
B. લક્ષ્મણ
C. સીતા
D. રામ

અફસોસ કે સોનાક્ષી આ સવાલનો જવાબ આપી શકી નહીં. પહેલાં તેણે સીતા કહ્યું અને પછી રામ. તેની સાથે બેઠેલી રૂમા દેવીને પણ જવાબ ખબર ન હતો. તો સોનાક્ષીએ છેલ્લી લાઈફ લાઈન એક્ટપર્ટની મદદ યૂઝ કરી. એક્સપર્ટ શ્વેતાએ કહ્યું સાચો જવાબ સીતા કે રામ નહીં પણ લક્ષ્મણ છે. 

સોનાક્ષીએ જવાબ ન આપ્યો તો અમિતાભને પણ થયું આશ્ચર્ય

સોનાક્ષીની આ વાત પર અમિતાભ બચ્ચન પણ હેરાન રહી ગયા. સોનાક્ષીને આ સવાલનો જવાબ ન ખબર હોય તે નિરાશ કરનારી વાત છે. કેમકે તેના પિતા, કાકા અને ભાઈઓના નામ રામાયણના પાત્રોના આધારે રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં સોનાક્ષીના ઘરનું નામ પણ રામાયણ છે. ત્યારે રામાયણ સાથે જોડાયેલા સવાલનો જવાબ ન ખબર હોય તે અમિતાભને માટે પણ આશ્ચર્યની વાત હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood KBC Ramayan Social Media Sonakshi Sinha actress કેબીસી રામાયણ સોનાક્ષી સિન્હા Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ