બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કંગના રનૌત એક વાર ફરી વિવાદીત નિવેદન આપ્યું છે. જેને લઈને તે ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વખતે કંગનાએ ગાંધીજી પર ખરાબ ટિપ્પણી કરી છે. જેના કારણે તે વિવાદોમાં આવી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંગનાએ લાંબા મેસેજ કરીને ગાંધીજી પર નિશાન સાંધ્યું છે. જેમા તેમણે ગાંધીજીને સત્તાના ભૂખ્યા ગણાવ્યા છે.
.jpg)
ADVERTISEMENT
ઈન્સ્ટા સ્ટોરીમાં કંગનાએ લખી પોસ્ટ
વધુમાં કંગનાએ એવું કહ્યું હતું કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી થાય. આ ઉપરાંત ઈન્સ્ટા સ્ટોરીમાં કંગનાએ એવું પણ લખ્યું છે કે પોતાનો હિરો સમજદારીથી પસંદ કરો. કંગનાએ સમગ્ર મામલે એવું નિવેદન પણ આપ્યું છે કે ઝાપટ મારવા વાળા સામે બીજો ગાલ આગળ કરશો તો તમને આઝાદી નહી મળે.
ADVERTISEMENT
અગાઉ પણ વિવાદીત નિવેદન આપ્યું હતું
આપને જણાવી દઈએ કે કંગનાએ થોડાક દિવસો પહેલા આઝાદીને લઈને જે નિવેદન આપ્યું હતું હતું તેને લઈને મામલો હજું ઠંડો નથી પડ્યો ત્યા તો ફરી તેણે સોશિયલ મીડિયા પર આપત્તીજનક પોસ્ટ મુકી છે. પોસ્ટમાં કંગનાએ એવું લખ્યું છે કે જે લોકો સ્વતંત્રતા માટે લડ્યા છે. તેમણે પોતાનો તેમના માલિકોને સોંપી દીધા. જેમનું લોહી નહોતું ઉકળતું પણ તેઓ સત્તાના ભૂખ્યા અને ચાલાક હતા.
ADVERTISEMENT
.jpg)
પોતાનો હિરો સમજદારીથી પસંદ કરવાવી આપી સલાહ
ADVERTISEMENT
વધુમાં તેણે ગાંધીજીને ટાર્ગેટ કરતા કહ્યું કે આ એજ લોકો છે જેમણે આપણાને શિખવાડ્યું કે કોઈ તમને એક લાફો મારે તમે તેને બીજો ગાલ ધરી દો. જેથી તમને આઝાદી મળી જશે. આ રીતે કોઈને આઝાદી નથી મળતી ખાલી ભીખ મળે છે. વધુમાં કંગનાએ કહ્યું કે પોતાનો હિરો પણ સમજદારીતી પસંદ કરવાનું રાખો.
.jpg)
ADVERTISEMENT
ગાંધીજીએ ક્યારેય નેતાજી અને ભગતસિંહને સપોર્ટ ન કર્યો
ઉલ્લેખનીય છે કે કંગનાએ તેની બીજી પોસ્ટમાં એવું પણ કહ્યું કે ગાંધીએ ક્યારેય ભગતસિંહ કે નેતાજીને સપોર્ટ નથી કર્યો. સાથેજ તેણે આડકતરી રીતે કહ્યું કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી થાય. સાથેજ તેણે કહ્યું કે લોકોને તેમનો ઈતિહાસ અને તેમના ખરા હિરો વિશે ખબર હોવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.