સોશ્યલ મીડિયા ઉપર વિવાદોમાં ઘેરાયેલા રહેતા કમાલ ખાને CAA મુદ્દે વિવાદાસ્પદ ટ્વીટ કરી છે.
કમાલ ખાન સોશ્યલ મીડિયા ઉપર પોતાની સામાજિક અને રાજનૈતિક મુદ્દાઓ ઉપર પ્રતિક્રિયા આપે છે. તેણે મુસ્લિમો પાસે પુરાવા માંગવા વાળા લોકો ઉપર નિશાન સાધ્યું છે.
Too many people are always spreading hate and saying here- Kaagaz Toh Dikhane Padenge! Toh Bhai Dikha Denge Problem Kaya Hai!
But if you are thinking that Muslims won’t be allowed to live in India, then pls Note:- Muslims India Main Usi Din Nahi Honge, Jis Din India Nahi Hoga!
તેણે ટ્વીટ કરીને લખ્યું છે કે "ઘણા લોકો હંમેશાં નફરત ફેલાવે છે અને અહીં કહી રહ્યાં છે કે તમારે કાગળ તો બતાવવા પડશે! તો ભાઈ બતાવી દઈશું. શું પ્રોબ્લેમ છે? પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે મુસ્લિમોને દેશમાં રહેવા નહીં દઈએ, તો લખી રાખજો - મુસ્લિમો તે જ દિવસે ભારતમાં નહીં હોય, જે દિવસે ભારત નહીં હોય!"
તેના ટ્વિટ પર સોશિયલ મીડિયા યુઝર્સના વિવિધ રિએક્શન આવી રહ્યા છે. ભાનુ પ્રતાપસિંહ નામના યુઝરે લખ્યું છે, 'સમસ્યા મુસ્લિમોની નથી. તેમની ખોટી વિચારસરણીની સમસ્યા છે. તેમની જેહાદી વિચારધારા, લવ જેહાદ, CAAનો વિરોધ કરવો, દિલ્હી રમખાણો, શાહીન બાગ... અને જ્યારે ડોકટરો કોરોના સમયે તેમનું ટેસ્ટિંગ માટે જતા હતા, ત્યારે તેઓ તેમને મારતા, તેમના પર થુંકતા? આ વાયરસ કોના મગજમાં છે ?'
નોંધનીય છે કે કમાલ ખાન બિહાર ચૂંટણીના પરિણામો અંગે ખૂબ સક્રિય હતો. થોડા દિવસો પહેલા તેણે કહ્યું હતું કે બિહારની જનતાએ તેજસ્વીને મત આપ્યો પરંતુ ભાજપ શાસન કરશે.