બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / jyotish shastra mesh budh ast 2024 mercury combust in aries these 7 zodiac sign people get trouble

જ્યોતિષ શાસ્ત્ર / જો તમારી પણ છે આ 7 રાશિ, તો ચેતી જજો, નહીંતર...! મેષમાં બુધ અસ્ત લાવી શકે છે નવી આફત

Arohi

Last Updated: 12:21 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

jyotish Shastra Mesh Budh Ast 2024: બુધ ગ્રહ આ સમયે મેષ રાશિમાં છે અને તે 4 એપ્રિલે સાંજે 7.35 મિનિટ પર અસ્ત થશે. બુધ ગ્રહ મેષ રાશિમાં 27 દિવસ સુધી અસ્ત રહેશે. પછી 1 મે બુધવારે સાજે 4.38 મિનિટ પર બુધનો ઉદય થશે.

બુધના અસ્ત થવાથી મેષ, વૃષભ, કર્ક સહિત 7 રાશિના જાતકોએ કરિયરમાં મોટા નિર્ણય લેવાથી બચવું પડશે. નહીં તો તેનાથી હાનિ થઈ શકે છે. આવો જાણીએ મેષમાં બુધ અસ્ત થવાથી 7 રાશિઓ પર શું નકારાત્મક પ્રભાવ થઈ શકે છે. 

મેષ 
તમારી રાશિમાં જ બુધ અસ્ત થઈ રહ્યો છે. તેના કારણે તમે પોતાના કરિયરને લઈને સાવધાન રહો. નોકરી કરનાર મનને શાંત રાખો. સ્થિતિઓ વિપરીત થવાથી મન બેચેન થશે અને તમે જોબ છોડવાની વાત વિચારી શકો છો. પરંતુ આમ ન કરો કારણ કે તેનાથી સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. સાહસ, ધૈર્ય અને સમજી વિચારીને પરિસ્થિતિઓનો સામનો કરો. તો કામ સરળ બનશે. 

વૃષભ 
નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર અસયોગનો સામનો કરવો પડી શકે છે. તમારા બોસ પણ તમારા પર નારાજ થઈ શકે છે અને સહકર્મીઓ પણ મદદ નહીં કરે. ગભરાવવાની જરૂર નથી. પોતાના કામ પર ફોકસ કરો. કામનું પ્રેશર હશે. પરંતુ સમજદારીથી સ્થિતિઓનો મુકાબલો કરો. જોબ છોડવામાં સમજદારી નથી. 

મિથુન 
બુદ્ધિના કારક ગ્રહ બુધના અસ્ત થવાથી તમારા જીવન પર નકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. કામ પરથી મન ઉચુ થઈ શકે છે કરિયરને લઈને અસુરક્ષા મનમાં ઘર કરી શકે છે. તમારૂ મનોબળ પણ આ સમયે કમજોર રહેશે. જેનાથી તમારી સમજવા વિચારવાની શક્તિ પ્રભાવિત થશે અને તમે યોગ્ય નિર્ણય લેવામાં અસફળ થઈ શકો છો. એવામાં તમે આ 27 દિવસમાં કરિયરથી લગતા મોટા નિર્ણયો કરવાથી બચો. 

કર્ક 
બુધના અસ્ત થવાના કારણે તમારી રાશિના લોકોને સંભાળીને રહેવાની જરૂર છે. ખાસ કરીને નોકરી અને બિઝનેસને ક્ષેત્રમાં. હાવ નોકરીમાં ઉત્પન્ન થયેલી સ્થિતિઓથી તમે પરેશાન થઈ શકો છો અને કંઈક નવું કરવાનું વિચારી શકો છો. પરંતુ હજુ સમય અનુકુળ નથી. મુશ્કેલીઓથી ભાગવાની જગ્યા પર તેનો મુકાબલો કરો તો સમાધાન તેમાંથી મળશે. પોતાનું મનોબળ કમજોર ન થવા દો. 

કન્યા 
બુધ અસ્ત થવાથી તમારા વિચાર નકારાત્મક રૂપથી પ્રભાવિત થઈ શકે છે. તેના કારણે તમને કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે યોગ અને ધ્યાન કરો. જેનાથી મન શાંત અને એકાગ્ર રહેશે. આત્મવિશ્વાસની કમીના કારણે કામ ખરાબ થઈ શકે છે. માટે પોતાના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. 

વૃશ્ચિક 
બુધના અસ્ત થવાથી તમારી રાશિના લોકો પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ખાસકરીને નોકરી કપનાર લોકોને મશ્કેલીઓ આવી શકે છે. બોસ તમાપા પર કામનો બોજો મુકી શકે છે. જેનાથી તમને મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે. વાદ વિવાદથી દૂર રહો. નહીં તો સહકર્મિઓ અને બોસના સંબંધ ખરાબ થશે. હાવ નોકરી છોડવી તમારી આર્થિક સ્થિતિને કમજોર કરી શકે છે. 

વધુ વાંચો: ક્યાંક તમારા ઘરના આંગણે તો નથી લાગ્યા ને આ 3 છોડ? તો તુરંત કરો આ કામ, નહીંતર..!

ધન 
કરિયરની દ્રષ્ટિએ બુધનું અસ્ત થવું યોગ્ય નથી. નોકરી બદલવા, છોડવા કે નવો બિઝનેસ કરવા જેવા મોટા નિર્ણય લેવાથી હાલ બચો. કારણ કે જલ્દી નિર્ણય લેવો તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કાર્યસ્થળ પર અસહયોગ મળવાથી મન દુખી રહેશે અને તમારો ઝગડો થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ