બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu Tips trees and plants are the cause of poverty unlucky for your child

માન્યતા / ક્યાંક તમારા ઘરના આંગણે તો નથી લાગ્યા ને આ 3 છોડ? તો તુરંત કરો આ કામ, નહીંતર..!

Arohi

Last Updated: 08:06 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: ઝાડ-છોડ આપણા જીવન માટે જરૂરી છે વાસ્તુ અનુસાર જોઈએ તો આ છોડ સંપન્નતા અને સમૃદ્ધિ લાવવાનું કામ કરે છે. આપણા સનાતન ધર્મમાં ઝાડ-છોડને પુજનીય સ્થાન આપવામાં આવ્યું છે.

વૃક્ષ આપણી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. અમુક છોડ ઘરમાં પ્રગતિ લાવે છે. પરંતુ અમુક છોડ એવા પણ છે જો તેને યોગ્ય રીતે ન લગાવવામાં આવે તો ગરીબીનું કારણ બની શકે છે. જાણો એવા અમુક છોડ અને વૃક્ષ વિશે જે વાસ્તુની દ્રષ્ટિથી યોગ્ય નથી માનવામાં આવતા. 

કાંટા વાળા છોડ 
ઘરમાં ક્યારેય પણ કાંટા વાળા છોડ ન લગાવવા જોઈએ. કોઈ પણ પ્રકારના કેકટસના છોડ આપણે લગાવવા ન જોઈએ. જ્યારે તમારી અંદર સંતુલન ન હોય અથવા તો તમે એટલા મેચ્યોર ન હોય ત્યારે તો ખાસ કરીને આ છોડ ન લગાવવા જોઈએ. 

જો તમારી અંદર આધ્યાત્મિક પ્રગાઢતા નથી તો આવા છોડ ન લગાવવા જોઈએ. એટલે કે આવા લોકો જેમનો ગુસ્સો ખૂબ જ વધારે છે. કંટ્રોલ નથી થતો. એવા લોકો જે ગુસ્સામાં કંઈ પણ બોલી કે કરી જાય છે. 

હકીકતે સમજો કે જ્યોતિષ કે વાસ્તુમાં કોઈ પણ વસ્તુ સાચી કે ખોટી નથી હોતી. આપણે બધી વસ્તુ પોતાના હિસાબથી જોવી પડે છે. જેમ કે ઘણી વખત ઉપાય સ્વરૂપમાં ઘણી જગ્યા પર કેકટસના છોડ લગાવવામાં આવે છે. પરંતુ આ વ્યક્તિ અનુસાર નિર્ભર કરે છે. ગૃહસ્થ જીવનમાં ઘરમાં કાંટા વાળા છોડ એટલે કે પોતાના દુશ્મન વધારવાની વાત થાય છે.

બિલિપત્ર 
ઘરની અંદર બિલિપત્રનું ઝાડ પણ લગાવવાનો ઈનકાર કરવામાં આવે છે. બિલિપત્રનું ઝાડ લગાવવાથી પ્રોપર્ટીના વિવાદ વધારે ઉત્પન્ન થાય છે. સાથે જ બિલિપત્રનું ઝાડ ઘરમાં લગાવવાથી સંઘર્ષ વધી જાય છે. 

કેળાનું ઝાડ 
જ્યોતિષ વાસ્તુ અનુસાર કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. પરંતુ યાદ રાખો કે કેળાના ઝાડ ક્યારેય ઘરની અંદર ન લગાવો. જે ઘરોની અંદર કેળાના ઝાડ હોય છે એવું જોવામાં આવ્યું છે કે તે ઘરના યુવક પ્રગતિ નથી કરતા. સમૃદ્ધિ નથી થઈ શકતા. આવા ઘરોના યુવકો બિઝનેસ ન ચલાવી શકવાના કારણે ડિપ્રેશનમાં જતા રહે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે તેમને આર્થિક રીતે પણ મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે. 

વધુ વાંચો : ચૈત્ર મહિનામાં ભૂલથી પણ ન કરો આ કાર્ય, નહીં તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ

સુકાયેલા છોડ 
ઘરની અંદર કોઈ પણ પ્રકારના સુકાયેલા છોડ ન રાખો. આ છોડ પણ જીવનમાં નકારાત્મકતા લાવે છે. તમારા ઘરનું વાયુ તત્વ બની રહે તેના માટે જરૂરી છે કે તમે ફ્રેશ છોડ જ ઘરમાં રાખો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ