બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Justices Sudhanshu Dhulia and JB Pardiwala As Supreme Court Judges
Hiren
Last Updated: 12:48 PM, 9 May 2022
સુપ્રીમના ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની વાળી સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ભલામણ બાદ ગુવહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જમશેદ બી પારડીવાલાની સુપ્રીમના જજ તરીકે નિયુક્તી કરાઈ હતી. ત્યારે બન્ને જસ્ટિસે આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસના શપથ લીધા હતા. તેની સાથે જ 30 મહિના બાદ સુપ્રીમ કોર્ટમાં કુલ જજોની સંખ્યા 34 થઈ ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડીને બન્ને જજની નિયુક્તીના સમાચાર આપ્યા હતા.
Justices Sudhanshu Dhulia, JB Pardiwala take oath as Supreme Court judges
— ANI Digital (@ani_digital) May 9, 2022
Read @ANI Story | https://t.co/BtxX5xJEM7#SupremeCourt pic.twitter.com/lJImU3zO4h
ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયા અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જમશેદ બી પારડીવાલાએ સોમવારે અહીં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લઈ લીધા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણે વડી અદાલતના અધિક ભવન પરિસરમાં નવનિર્મિત સભાગારમાં એક સમારંભને દરમિયાન ન્યાયમૂર્તિ ધૂલિયા અને ન્યાયમૂર્તિ પારડીવાલાને પદના શપથ લેવડાવ્યા હતા.
ન્યાયમૂર્તિ ધૂલિયા અને ન્યાયમૂર્તિ પારડીવાલાની નિમણૂંક સાથે વડી અદાલતમાં ન્યાયાધીશની કુલ સંખ્યા ફરીથી 34 થઈ ગઈ છે. ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડી આ વર્ષે ચાર જાન્યુઆરીના રોજ સેવાનિવૃત થતાં વડી અદાલતમાં ન્યાયધીશોની સંખ્યા 32 થઈ ગઈ હતી. વડી અદાલતમાં ન્યાયાધીશોની સ્વિકૃત સંખ્યા 34 છે.
બે નવી નિયુક્તી સાથે સુપ્રીમના જજની સંખ્યા થઈ 34
બે નવી નિયક્તીની સાથે સુપ્રીમના કુલ જજોની સંખ્યા 34 થઈ છે. આ સુખદ સ્થિતિ અંદાજિત 2 દિવસ એટલે મંગળવાર સુધી જ રહેશે, કારણ કે 10 મેના રોજ જસ્ટિસ વિનીત શરણ સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાંથી પૂર્વ ચિફ જસ્ટિસ, જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ બેલાબેન ત્રિવેદી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
ચીફ જસ્ટિસ એનવી રમનાએ કરી હતી ભલામણ
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ જેબી પારડીવાલા અને ગુવહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ધુલિયાની સુપ્રીમમાં નિયુક્તી માટે ચીફ જસ્ટિસ એનવી રમનાએ ભલામણ કરી હતી. તેમની ભલામણના થોડા દિવસો બાદ બન્ને જજોને સુપ્રીમમાં સમાવી લેવાયા છે.
1990માં હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી
જસ્ટિસ જે.બી પારડીવાલાનો જન્મ મુંબઇમાં થયો હતો. જસ્ટિસ પારડીવાલાએ 1990માં ગુજરાતના હાઇકોર્ટમાં પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. 1994માં તેઓ ગુજરાતની બાર કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002માં ગુજરાતના હાઇકોર્ટ માટે સ્ટેન્ડિંગ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા બુરજોર પારડીવાલાએ વલસાડ અને નવસારીના જિલ્લાઓમાં 52 વર્ષ વકીલાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime