બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / "કોઇની મનમાં ને મનમાં ના રહી જાય...", મૃગીકુંડ સ્નાન વિવાદ બાદ કીર્તિ પટેલના હવાતિયાં!

Video / "કોઇની મનમાં ને મનમાં ના રહી જાય...", મૃગીકુંડ સ્નાન વિવાદ બાદ કીર્તિ પટેલના હવાતિયાં!

Vidhata Gothi

Last Updated: 06:17 PM, 17 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kirti Patel Junagadh Mela Controversy: મૃગીકુંડ સ્નાનના વિવાદ બાદ કુખ્યાત કીર્તિ પટેલે પોતાના પાપ છુપાવવા માટે ઈન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપ લગાવ્યા અને પૂરાવા સાથે પર્દાફાશ કરવાનો દાવો કર્યો.

Keerti Patel's allegations against Indra Bharati Bapu: મૃગીકુંડ સ્નાનના વિવાદ બાદ કુખ્યાત કીર્તિ પટેલ હવે સોશિયલ મીડિયા દ્વારા ઈન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપો લગાવી રહી છે. જેલ સુધી જઈ ચૂકેલી કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને સંબોધીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં તેણે પૂરાવા સાથે ઈન્દ્રભારતીની હકીકતનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. મૃગીકુંડ વિવાદ બાદ પોતાના પાપ છૂપાવવા માટે કુખ્યાત કીર્તિ પટેલ હવાતિયા મારી રહી છે.

કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે કહ્યું - "કોઇની મનમાં ને મનમાં ન રહી જાય, કે કીર્તિ પટેલ કઈ બોલી નહીં, રાતે 9 વાગે યુટ્યુબ પર હું લાઇવ કરીશ, અને તમારા પ્રશ્નોના હું બધા જ જવાબ આપીશ. હું મારા જવાબ તો આપીશ જ, પણ જેને પેટમાં દુઃખતું હતું ને એ કચ્છથી લઈને મુંબઈથી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ હું કહીશ. બધા જ પ્રૂફ સાથે, કાગળ સાથે, તો જ હા. સનાતન ધર્મને ખોટા માર્ગે લઈ જાય છે, કોણ-કોણ લઈ જાય છે, એ પણ હું કહીશ. અને આ સન્યાસી લોકોમાં કેટલા લોકોએ કઈ રીતે સન્યાસ લીધો છે એ બધુ જ કહીશ."

kirti patel post

ઈન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપ

સોશિયલ મીડિયાને પોતાનું હથિયાર બનાવીને બેફામ બનેલી કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ અને તેમના ચેલાઓ પર નિશાન સાધીને ગંભીર આરોપ લગાવ્યા છે. કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને સંબોધીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પૂરાવા સાથે ઈન્દ્રભારતી બાપુની હકીકતનો પર્દાફાશ કરવાનો ઉલ્લેખ કર્યો છે. તેણે ઈન્દ્રભારતીને ગુરુ બનાવો તો આંગળી પકડીને સ્નાન કરવા લઈ જતા હોવાનો આરોપ લગાવ્યો છે.

તેણે ઈન્દ્રભારતીના અને અન્ય સાધુના ચેલાની કરતૂતો પરથી પડદો ઉંચકવાનો દાવો કર્યો. સાથે જ સ્વાભિમાનની માટે ઈન્દ્રભારતીને અરીસો બતાવવાની વાત કરી. જો કે આ તમામ ગંભીર આરોપો સામે ઈન્દ્રભારતી બાપુ હજુ સુધી મૌન છે. કીર્તિ પટેલ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો અંગે ઈન્દ્રભારતી તરફથી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.

જણાવી દઈએ કે જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઘૂસી આવી કીર્તિ પટેલે મહિલા પોલીસ કર્મચારી સાથે ઉગ્ર ભાષામાં બોલાચાલી કરી હતી. કીર્તિ પટેલ ભગવો વેશ ધારણ કરીને શિવરાત્રીમાં મેળામાં પહોંચી હતી અને ગુંડાગીરી કરી હતી.

vtv app promotion

જુનાગઢના મેળામાં રવેડી પૂરી થયા પછી સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા હતા. એ સમયે કીર્તિ પટેલ પણ સાધુઓની વચ્ચે પહોંચી ડૂબકી લગાવતી જોવા મળી હતી. તે 'હર હર મહાદેવ'ના નાદ સાથે સ્નાન કરતા હોવાના દ્રશ્યો સામે આવતા જ વાતાવરણ ગરમાયું હતું. ઘટનાની જાણ થતાં તંત્ર તરત જ સક્રિય બન્યું અને તેને મેળા પરિસરમાંથી બહાર હાંકી કાઢવામાં આવી હતી. આ ઘટનાએ મોટો વિવાદ સર્જ્યો હતો.

આ પણ વાંચો: PM મોદી ફરી ગુજરાત આવશે, જુઓ ક્યારે? ચર્ચાશે ચૂંટણી સહિતના વિવિધ મુદ્દાઓ

મેળામાં સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા મહિલા કર્મચારીઓ સાથે કીર્તિ પટેલે દાદાગીરી કરી હતી. એટલું જ નહીં મેળામાં કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે પણ કીર્તિ પટેલે ગેરવર્તણૂક કરી હતી. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. તેના ભૂતકાળના કારસ્તાનોને કારણે તે જેલ સુધી પણ જઈ ચૂકી છે. સોશિયલ મીડિયાના ઉપયોગ મારફતે તે સતત વિવાદો ઊભા કરતી આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kirti Patel Claim to expose Indra Bharati Bapu Kirti Patel Junagadh Mela Controversy Mrigikund Snan Controversy
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ