બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી મુશ્કેલીમાં ફસાઇ AAP, શું પંજાબ સરકારના 2 મંત્રી ખુરશી છોડશે?
Last Updated: 04:39 PM, 26 July 2026
કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં દેશભરમાં વિદ્યાર્થીઓએ કરેલા આંદોલન પછી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાં પછી હવે પંજાબમાં પણ પેપર લીકનો મુદ્દે ગરમાયો છે. કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાળી દળે ભગવંત માન સરકારને ઘેરતાં શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસ અને સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહના રાજીનામાંની માંગ કરી છે.
ADVERTISEMENT
વિપક્ષનું કહેવું છે કે જ્યારે કેન્દ્રમાં પેપર લીકને લઈ શિક્ષણ મંત્રીની જવાબદેહિતા નક્કી થઇ શકે છે, તો પંજાબમાં પરીક્ષામાં ગડબડીઓ પર કાર્યવાહી કેમ નથી થઈ રહી? 2027માં પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાશે તે પહેલાં આ મુદ્દો આમ આદમી પાર્ટી માટે નવો રાજનૈતિક પડકાર બની શકે છે.
ADVERTISEMENT
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વોરિંગે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને યુવાના સંઘર્ષની જીત ગણાવી. તેમણે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસનાં રાજીનામાંની પણ માંગ કરી. અમરિંદર સિંહે ફાર્મસી ભરતી, 12માનું અંગ્રેજી પેપર, ગ્રુપ-બી, નાયબ મામલતદાર, કૃષિ અધિકારી અને ફાર્માસિસ્ટની ભરતી પરીક્ષાઓ અંગે પેપર લીક થયાના આરોપો લગાવ્યા.
ADVERTISEMENT
ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ પંજાબના શિક્ષણ મંત્રીના રાજીનામાંની માંગ કરતાં અરવિંદ કેજરીવાલ પર બમણું વલણ રાખવાનો આરોપ લગાવ્યો. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપનાર નેતા પંજાબના યુવાઓના મુદ્દા પર ચૂપ કેમ છે? મનજિંદર સિંહ સિરસાએ કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીતને પણ તેમના કથિત વચનની યાદ અપાવી કે પંજાબમાં પેપર લીક થવા પર તેઓ વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવશે.
આ પણ વાંચો- પાટણથી લઇને નળ સરોવર સુધી..., ખેતરો બેટમાં ફેરવાતા જગતનો તાત મૂકાયો મુશ્કેલીમાં
ADVERTISEMENT
અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસ અને સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહના રાજીનામાંની માંગ કરી. તેમણે દાવો કર્યો કે સાડા ચાર વર્ષમાં 6 પરીક્ષામાં ગેરરિતી થઇ જેમાં 5 લાખ યુવાનો પ્રભાવિત થયા.
ADVERTISEMENT
વિપક્ષનો આરોપ છે કે આમ આદમી પાર્ટી કેન્દ્રમાં પેપર લીક પર રાજીનામું માંગે છે, પરંતુ પંજાબમાં આવા મામલે ચૂપી સાધી લે છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં બાદ હવે પંજાબ સરકાર અને શિક્ષણ મંત્રી પર નૈતિક દબાણ વધી ગયું છે. કોંગ્રેસ અને અકાળી દળે આંદોલન તેજ કરવાના સંકેત આપ્યા છે, જ્યારે પંજાબ સરકાર તરફથી આ મુદ્દે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.