બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આર્થિક મુશ્કેલીને લીધે ભીંસમાં આવ્યો જેઠાલાલ
વેપારમાં આવી ગયેલા આર્થિક નુક્સાનને લીધે જેઠાલાલ પાસે હવે તેની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સ વેચવા સિવાય કોઈ બીજો ઉપાય જોવા નથી મળી રહ્યો. દુકાન વેચવાની સાથે હવે જેઠાલાલને ગોકુલધામ સોસાયટી છોડવી પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ છે. જેઠાલાલ પર આવેલી આ આર્થિક મુશ્કેલીઓને લીધે તે બધી રીતે ભીંસમાં આવી ગયેલો જોવા મળે છે.
ADVERTISEMENT

દુકાન વેચવાનો કર્યો નિર્ણય
ADVERTISEMENT
દુકાનનાં કર્મચારીઓનો પગાર અને અન્ય ખર્ચાઓ ભોગવવામાં અસમર્થ હોવાને લીધે જેઠાલાલ પાસે બીજો કોઈ ઉપાય જોવા નથી મળી રહ્યો. લોકડાઉન દરમિયાન ભોગીલાલને ક્રેડિટ પર આપવામાં આવેલ સામાનની ચૂકવણી ના મળવાને લીધે જેઠાલાલને બિઝનેસમાં મોટો ફટકો પડ્યો છે. જેનું પેમેન્ટ ચૂકવવા માટે ઘણાં પ્રયાસો કરવા છતા તે પૈસા મેળવી નથી શક્યો જેથી હવે જેઠાલાલે તેની દુકાન વેચવાનો નિર્ણય લીધો છે.
શું થશે બાઘા અને નટુકાકાનું
ADVERTISEMENT
જેઠાલાલ એ બાબતથી ખૂબ દુખી છે કે તેને હવે દુકાન વેચીને ગોકુલધામ સોસાયટી વેચવી પડી રહી છે અને તે પરિવાર સાથે ગામડે પાછો જવા મજબૂર બન્યો છે. શું ગડા ઈલેક્ટ્રોનિક્સ વેચાઈ જશે. જો ગડા ઈલેક્ટ્રોનિક્સ નહીં રહે તો બાઘા અને નટુકાકા શું કરશે. શું થશે જેઠાલાલ અને તેનાં પરિવારનું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.