તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલને તેનાં વેપારમાં ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓને લીધે ખૂબ ત્રાસ ભોગવવો પડતો જોવા મળી રહ્યો છે.
જેઠાલાલને વેપારમાં પડ્યો મોટો ફટકો
ભોગીલાલને ક્રેડિટ પર આપેલ માલની રકમ મળી નહી
આર્થિક ખર્ચ ભોગવી શકવા અક્ષમ બન્યો જેઠાલાલ
આર્થિક મુશ્કેલીને લીધે ભીંસમાં આવ્યો જેઠાલાલ
વેપારમાં આવી ગયેલા આર્થિક નુક્સાનને લીધે જેઠાલાલ પાસે હવે તેની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સ વેચવા સિવાય કોઈ બીજો ઉપાય જોવા નથી મળી રહ્યો. દુકાન વેચવાની સાથે હવે જેઠાલાલને ગોકુલધામ સોસાયટી છોડવી પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ છે. જેઠાલાલ પર આવેલી આ આર્થિક મુશ્કેલીઓને લીધે તે બધી રીતે ભીંસમાં આવી ગયેલો જોવા મળે છે.
દુકાન વેચવાનો કર્યો નિર્ણય
દુકાનનાં કર્મચારીઓનો પગાર અને અન્ય ખર્ચાઓ ભોગવવામાં અસમર્થ હોવાને લીધે જેઠાલાલ પાસે બીજો કોઈ ઉપાય જોવા નથી મળી રહ્યો. લોકડાઉન દરમિયાન ભોગીલાલને ક્રેડિટ પર આપવામાં આવેલ સામાનની ચૂકવણી ના મળવાને લીધે જેઠાલાલને બિઝનેસમાં મોટો ફટકો પડ્યો છે. જેનું પેમેન્ટ ચૂકવવા માટે ઘણાં પ્રયાસો કરવા છતા તે પૈસા મેળવી નથી શક્યો જેથી હવે જેઠાલાલે તેની દુકાન વેચવાનો નિર્ણય લીધો છે.
શું થશે બાઘા અને નટુકાકાનું
જેઠાલાલ એ બાબતથી ખૂબ દુખી છે કે તેને હવે દુકાન વેચીને ગોકુલધામ સોસાયટી વેચવી પડી રહી છે અને તે પરિવાર સાથે ગામડે પાછો જવા મજબૂર બન્યો છે. શું ગડા ઈલેક્ટ્રોનિક્સ વેચાઈ જશે. જો ગડા ઈલેક્ટ્રોનિક્સ નહીં રહે તો બાઘા અને નટુકાકા શું કરશે. શું થશે જેઠાલાલ અને તેનાં પરિવારનું.