Jayaraj Singhs show of strength in the enemys stronghold people Ribda
મહાસંમેલન /
દુશ્મનના ગઢમાં જ જયરાજસિંહનું શક્તિપ્રદર્શન, રિબડાવાસીઓને આપી આવી બાહેંધરી, કહ્યું દાદાગીરીનો ખાતમો પાક્કો
Team VTV11:28 PM, 22 Dec 22
| Updated: 10:43 AM, 23 Dec 22
ચૂંટણી અગાઉથી ગોંડલ પંથકમાં બે બળુકા જૂથ વચ્ચે તણખા જરી રહ્યા છે. તેવામાં જયરાજસિંહે દુશ્મનના ગઢ રિબડામાં જ શક્તિપ્રદર્શન કરી રિબડાવાસીઓને ગામનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી.
રીબડા ગામમાં જયરાજસિંહે યોજયું મહાસંમેલન
મહાસંમેલનમાં સમાજને એક થઇને રહેવાની કરી હાંકલ
રીબડા ગામનો પ્રશ્ન હું પુરો કરીને જ ઝંપીશ : જયરાજસિંહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રિબડામાં અનિરુદસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા ગ્રૂપ વચ્ચે તાણખેંચ શરૂ થઈ હતી. જે દિવસેને દિવસે વકરી રહી છે. તેવામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મહાસંમેલન થકી રીબડામાં શક્તિપ્રદર્શન કર્યું હતું. રીબડા ખાતે આવેલ હકાભાઈ ખૂંટની વાડીમાં મહાસંમેલન યોજાયું હતું.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સંમેલન યોજયું
અનિરુદ્ધસિંહ જાડેજાના જૂથે જયરાજસિંહ જાડેજાના સમર્થકને માર માર્યાની રાવથી વાતાવરણ ગરમાયું છે. રીબડાના અનિરૂદ્ધસિંહ જૂથે ગઈકાલે અમિત ખૂંટ નામના યુવકે મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ સંમેલન યોજયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સરદાર પટેલ ગ્રુપે જયરાજસિંહ જાડેજાનો સન્માન સમારોહ પણ યોજ્યો હતો. જેમાં 'રીબડામાં એ લોકોની દાદાગીરી નહીં ચાલે'.તેવો જયરાજસિંહે હુંકાર કર્યો હતો.
રીબડા ગામમાં જયરાજસિંહનો હુંકાર
જયરાજસિંહે મહાસંમેલનમાં સમાજને એક થઇને રહેવાની હાંકલ કરી હતી. વધુમાં યુવાનોને ગામના કેટલાક માથાભારે શખ્સો સામે લડવાનું પણ આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત જયરાજસિંહે અન્યાય ન કરવા અને અન્યાય સહન ન કરવાનું સૂત્ર પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે રીબડા ગામમાં પટેલ સમાજ સાથે જમીનો સહિત અન્ય પ્રશ્નો અન્યાય થઈ રહ્યો છે અને વાત વાતમાં લોકોને મારવા અને ધમકાવવાની પ્રવૃતિ થાય છે જે દાદાગીરી અયોગ્ય હોવાનું પણ તેઓએ કહ્યું હતું.ઉપરાંત લોકોને ખાતરી આપતા કહ્યું કે ગામમાં વધતી દાદાગીરી હું ચલાવી લઈશ નહિ. હું રીબડા ગામનો પ્રશ્ન હલ કરીને જ ઝંપીશ તેમ અંતમાં જયરાજસિંહએ ઉમેર્યું હતું.