ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Jayaraj Singhs show of strength in the enemys stronghold people Ribda

મહાસંમેલન / દુશ્મનના ગઢમાં જ જયરાજસિંહનું શક્તિપ્રદર્શન, રિબડાવાસીઓને આપી આવી બાહેંધરી, કહ્યું દાદાગીરીનો ખાતમો પાક્કો

Published By: Mahadev Dave

Last Updated: 10:43 AM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી અગાઉથી ગોંડલ પંથકમાં બે બળુકા જૂથ વચ્ચે તણખા જરી રહ્યા છે. તેવામાં જયરાજસિંહે દુશ્મનના ગઢ રિબડામાં જ શક્તિપ્રદર્શન કરી રિબડાવાસીઓને ગામનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી.

ADVERTISEMENT

  • રીબડા ગામમાં જયરાજસિંહે યોજયું મહાસંમેલન
  • મહાસંમેલનમાં સમાજને એક થઇને રહેવાની કરી હાંકલ
  • રીબડા ગામનો પ્રશ્ન હું પુરો કરીને જ ઝંપીશ : જયરાજસિંહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રિબડામાં અનિરુદસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા ગ્રૂપ વચ્ચે તાણખેંચ શરૂ થઈ હતી. જે દિવસેને દિવસે વકરી રહી છે. તેવામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મહાસંમેલન થકી રીબડામાં શક્તિપ્રદર્શન કર્યું હતું. રીબડા ખાતે આવેલ હકાભાઈ ખૂંટની વાડીમાં મહાસંમેલન યોજાયું હતું. 

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સંમેલન યોજયું

અનિરુદ્ધસિંહ જાડેજાના જૂથે જયરાજસિંહ જાડેજાના સમર્થકને માર માર્યાની રાવથી વાતાવરણ ગરમાયું છે. રીબડાના અનિરૂદ્ધસિંહ જૂથે ગઈકાલે અમિત ખૂંટ નામના યુવકે મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ સંમેલન યોજયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સરદાર પટેલ ગ્રુપે જયરાજસિંહ જાડેજાનો સન્માન સમારોહ પણ યોજ્યો હતો. જેમાં 'રીબડામાં એ લોકોની દાદાગીરી નહીં ચાલે'.તેવો જયરાજસિંહે હુંકાર કર્યો હતો.

રીબડા ગામમાં જયરાજસિંહનો હુંકાર

જયરાજસિંહે મહાસંમેલનમાં સમાજને એક થઇને રહેવાની હાંકલ કરી હતી. વધુમાં યુવાનોને ગામના કેટલાક માથાભારે શખ્સો સામે લડવાનું પણ આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત જયરાજસિંહે અન્યાય ન કરવા અને અન્યાય સહન ન કરવાનું સૂત્ર પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે રીબડા ગામમાં પટેલ સમાજ સાથે જમીનો સહિત અન્ય પ્રશ્નો અન્યાય થઈ રહ્યો છે અને વાત વાતમાં લોકોને મારવા અને ધમકાવવાની પ્રવૃતિ થાય છે જે દાદાગીરી અયોગ્ય હોવાનું પણ તેઓએ કહ્યું હતું.ઉપરાંત લોકોને ખાતરી આપતા કહ્યું કે ગામમાં વધતી દાદાગીરી હું ચલાવી લઈશ નહિ. હું રીબડા ગામનો પ્રશ્ન હલ કરીને જ ઝંપીશ તેમ અંતમાં જયરાજસિંહએ ઉમેર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

અનિરુદ્ધસિંહ જાડેજા ખાતરી જયરાજસિંહનું શક્તિપ્રદર્શન મહાસંમેલન રિબડા હાંકલ Gondal

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ