બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ભારતીય નેવીનું UAV ક્રેશ, પોલીસ-ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે
Last Updated: 06:25 PM, 8 July 2026
પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
ADVERTISEMENT

મળતી માહિતી અનુસાર, ભારતીય નૌસેનાનું UAV નિયમિત તાલીમ અને દેખરેખ સંબંધિત ઉડાન દરમિયાન અચાનક નિયંત્રણ ગુમાવતાં ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં જમીન પર પટકાયું હતું. ડ્રોન પડતાં જોરદાર અવાજ સંભળાતા આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ADVERTISEMENT

ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેના, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સામાન્ય લોકોની અવરજવર પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નૌસેનાના ટેકનિકલ અધિકારીઓ દ્વારા UAVના કાટમાળનું નિરીક્ષણ તેમજ પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT

પ્રાથમિક તપાસમાં UAV ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હવામાનની સ્થિતિ, સિસ્ટમમાં થયેલી ખામી અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે અંગે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

ભારતીય નૌસેના માટે અનઆર્મ્ડ UAV દરિયાઈ સુરક્ષા વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવા માનવરહિત વિમાનોનો ઉપયોગ દરિયાઈ સરહદો પર સતત નજર રાખવા, ગુપ્તચર માહિતી એકત્રિત કરવા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા, સર્ચ એન્ડ રેસ્ક્યૂ મિશન તેમજ આપત્તિના સમયમાં સર્વેક્ષણ માટે કરવામાં આવે છે. હાઈ-રિઝોલ્યુશન કેમેરા, રડાર અને અદ્યતન સેન્સરથી સજ્જ આ UAV જોખમી વિસ્તારોમાં માનવજીવનને જોખમમાં મૂક્યા વિના મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં મદદરૂપ બને છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગમે તેટલો વરસાદ પડે, પરંતુ અધિકારીઓએ ફિલ્ડમાં જવું જ પડશે, AMCનો ઝીરો ટોલરન્સ અભિગમ
નૌસેના દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માતનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવશે. હાલ સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad Rath Yatra 2026 / આ વર્ષે રથયાત્રામાં પ્રથમવાર હાથીઓ માટે હશે હાઈટેક સુરક્ષા, જાણો અન્ય નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.